SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર • માથુરી થશે. આથી જરૂરી છે કે સમગ્ર સંઘ—એટલે કે સમગ્ર ગણોને માન્ય એવી સમાચારી ઘડી કાઢવી. એવું કાંઈ નહિ બને તો પછી ગણોને નામે સંપ્રદાય જ ઊભા થશે. વળી મુનિરાજશ્રીએ આવા સંપ્રદાયોના બીજને પ્રોત્સાહન પણ તેમના લેખમાં આપ્યું છે. આથી મેં જે ભય વ્યક્ત કર્યો છે તે સાચો ઠરે છે. તેમણે તે ગણની સમાચારીને નામે ગણગત સાધુઓનો સમભોગ માન્યો છે. પણ અપવાદ મૂકયો છે કે આવા ગણના સાધુઓ માટે આહાર વિશેનો સમભોગ બીજા ગણના સાધુઓ સાથે અનિવાર્ય નથી. આમાં જ તો વિવાદની જડ છે. જયારે જુદા જુદા સંપ્રદાયો હતા ત્યારે તેમને હળવા મળવામાં કશો જ વાંધો હતો નહિ, પણ જે વાંધો હતો તે આહારના સમભોગનો જ હતો. અને મુખ્ય તો તેને આધારે જ સંપ્રદાયોમાં ભેદ હતો. બાકી હળવા મળવા વિશે કે એક જ ઉપાશ્રયમાં કે સાથે રહેવા વિશે તો કશો જ વાંધો હતો નહિ. આથી જણાય છે કે મુનિરાજશ્રી ગણોને નામે એ જૂની વ્યવસ્થા જ લાવવા માગે છે. આથી તો વળી પાછું સાંપ્રદાયિક અહંત્વને જ પોષણ મળવા સંભવ છે. આમ ન બને માટે બધા ગણોના સાધુઓમાં આહાર વિશેના સમભોગની તો છૂટ હોવી જ જોઈએ, અન્યથા સંધૂક્ય કેવી રીતે બને ? હા, જે સાધુઓને પ્રાયશ્ચિત્ત વિશેષને કારણે આહાર સમભોગની મર્યાદાથી બહાર રાખવામાં આવ્યા હોય તેમને વિશે આગ્રહ નથી. પણ જેઓ માત્ર બીજા ગણના છે એટલા કારણે જ તેમના સાથે બેસી આહાર ન લેવાય એમ કરવું તો કદાપિ ઉચિત નથી. અન્યથા સંધૂક્ય નહિ હોય પણ બીજે નામે સંપ્રદાયોનું સંવર્ધન હશે. ખરી વાત એ છે કે સંઘેક્ય થયું હતું પણ જે આચાર્યોએ પોતાનું પદ છોડ્યું હતું તેઓ હજી એ પદની પોતાની મહત્તા છોડવા તૈયાર નથી, એટલું જ નહિ સંધેશ્ય થયા પછી પણ સાધુઓમાં પરસ્પર સંપર્ક જે રીતે થવો જોઈતો હતો એટલે કે એક બીજા સંપ્રદાયના સાધુઓનું સંમિશ્રણ થઈને નવા જ ગણો બનીને વિચરણ થવું જોઈતું હતું તે પ્રકારનું કરવા કશો જ પ્રયત્ન એ જૂના આચાર્યોએ કર્યો જ નહિ, અને પોતાના જ સંપ્રદાયના સાધુઓ સદાચારી અને બીજા સંપ્રદાયના સાધુઓ શિથિલાચારી એવી માન્યતા સાથે જ અત્યાર સુધી સંઘમાં વ્યવહાર મોટે ભાગે ચાલી રહ્યો છે. સંઘેજ્યના ભંગાણમાં આ જ મુખ્ય નિમિત્તો છે. આ વસ્તુ અંદરથી જૂના આચાર્યો જયાં સુધી નહિ સ્વીકારે અને ઉદાર વર્તન નહિ રાખે ત્યાં સુધી સંર્ધક્યનો ધોરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy