SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ સમયધર્મ • ૧૨૯ બનાવીને વર્તવામાં જ આપણી કુશળતા રહેલી છે. સમયાનુકૂળ પરિવર્તન કરતા પહેલાં સંયમીઓ આરંભ-સમારંભના ભૂતથી ભડકે છે. પણ ખરી રીતે એવા કહેવાતા આરંભ-સમારંભના કાર્યમાં તેઓ દોષપાત્ર સાથી બને છે? એ ઊંડા ઊતરી વિચારાય તો એ આરંભસમારંભના ભૂતથી એઓ નહિ ડરે એવી મને ખાતરી છે. ખરેખર તેમને આરંભ સમારંભ લાગવાની બીક છે? કે પોતાની અશક્તિને ઢાંકવાનું બહાનું માત્ર છે ? એટલું પ્રત્યેક બતાવનાર વિચારશે તો તેમને આરંભ કરતાં જે મુશ્કેલી જણાય છે તે આપોઆપ દૂર થઈ જશે. આ જમાનામાં માત્ર દીક્ષા લીધાથી જ કાંઈ પ્રત્યેક જણ નિરારંભી નથી બની જતો, દીક્ષા લીધા પછી વસ્તી વચ્ચે જ પડી રહેવાનું ન હોય, વાડામાં પુરાવું ન હોય, ભંડારો ન હોય, શિષ્યોનો લોભ ન હોય, પક્ષકારી શ્રાવકો ન હોય. અને એવી જ બીજી અનેક સ્વયં લીધેલી ઉપાધિઓ ન હોય તેમ જ શરીરની જરા પણ પરવા ન હોય ત્યારે જ નિરારંભી થઈ શકાય. અમે આરંભના ત્યાગી છીએ એ કહેવું તો સરળ છે પણ જયાં સુધી ઉપર જણાવેલી અવસ્થા ન હોય ત્યાં સુધી જીવનમાં આરંભ-સમારંભનો ત્યાગ સંભવતો જ નથી. એ પ્રત્યેક સંયમી જરા ઊંડો વિચાર કરશે તો સમજાઈ જશે. જો તેઓ ઉપર જણાવેલી પ્રત્યેક પ્રવૃત્તિ અનાસક્ત ભાવે કરી શકતા હોય અને એ રીતે બધું કરવા છતાં તેમના ચારિત્રમાં બાધા ન આવતી હોય–અનાસક્ત ભાવે કરવાથી બાધા આવે જ નહિ–તો બીજા માત્ર માની લીધેલા આરંભથી શા માટે ડરવું? અને કર્યા છતાં નિર્દોષ રહી શકાતું હોય તો સમાજને ઉપયોગી થઈ અનિવાર્ય આરંભ કર્યા છતાં––અનાસક્ત ભાવે કર્યું હોવાથી નિર્દોષ સક્રિય સંયમ માર્ગે જીવન કાં ન નિભાવવું? જેથી આપણે સમયોચિત વર્તન રાખીએ છીએ એવી સમાજને ખાતરી થાય. જ્યાં આસક્તિ હોય ત્યાં જ આરંભ દોષપાત્ર છે પણ જ્યાં જે કાંઈ થતું હોય તે અનાસક્ત ભાવે જ થતું હોય–તે કાર્ય કરવામાં પોતાના નિર્વાણરૂપ સ્વાર્થ સિવાય બીજો કોઈ પણ પ્રકારનો યશ વગેરે સ્વાર્થ ન હોય તો તેવો પ્રશસ્ત આરંભ-સમારંભ દોષપાત્ર નથી જ. એથી તો ભગવાન મહાવીર જેવા તીર્થકરો પણ બચી શક્યા નથી–બચી શકતા પણ નથી—એ તીર્થકર નામકર્મના રહસ્યને સમજનારને સમજાવવાનું ન હોય. પણ એ યાદ રાખવાનું છે કે ભગવાન મહાવીરની પ્રશસ્ત પ્રવૃત્તિ તેમના સમયને અનુકૂળ હતી. માત્ર તેને જ પકડી બેસી રહેવાથી આપણું કાંઈ વળે તેવું નથી પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy