SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. સમયધર્મ આપણે ભગવાન મહાવીરના સમયમાં નથી. અત્યારે આપણી સામે અનેક નવા પ્રશ્નો ઉપસ્થિત થયા છે. જેનો તે સમયમાં સંભવ પણ ન હતો. આપણી જરૂરિયાતો યંત્રવેગે વધી છે અને તેથી જ સાથે સાથે અનેક વિકટ પ્રશ્નો ઉપસ્થિત થયા છે. તે સમયમાં ભોગો એટલા બધા હતા કે ભોગવનાર કંટાળી જતો. અત્યારે તેથી વિપરીત છે. તે સમયમાં બધી વસ્તુનો સદંત૨ ત્યાગ સહજ જણાતો, ત્યારે અત્યારે જોઈએ તેટલું પણ ન મળતું હોવાથી એ પ્રકારનો સહજ ભાવે ત્યાગ આવવો અસંભવ તો નહિ પણ અત્યંત કઠિન તો છે. એટલે સંયમીઓ માત્ર ત્યાગનો ઉપદેશ આપીને પ્રવૃત્તિની ઇતિશ્રી કરે એ પાલવે તેમ નથી. પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ હોવાથી સંયમીઓ પાસેથી સમાજ સમયધર્મ માગે છે. જે માર્ગ તેમના સંયમને બાધાકારક નથી તેમ જ અયોગ્ય પણ નથી, જો તેઓ અનાસક્ત ભાવે કરતા હોય. જો સમાજ, દેશ તેમજ ધર્મભાવના તેમને મન અપરિવર્તનીય હોય, સનાતન હોય એવું તેમના અમુક આચારમાં કાળબળે પરિવર્તન થયું છે, છતાં અમુક આચારમાં તો શાસ્ત્રની દુહાઈ આપીને પરિવર્તન નહિ કરવામાં ટેક સમજવામાં આવે છે. પોષાતી વાતોને દેશકાળને નામે મૃદુ માનવી અને કેટલીકને મૃદુ ન કરવી એને જમાનો ‘જીદ’ કહેશે. શાસ્ત્રમાં જે કાંઈ વિધિનિષેધો છે તે ભગવાન મહાવીરના સમયની ધાર્મિક, સામાજિક અને રાજકીય પરિસ્થિતિને અનુકૂળ હતા, જેમાંના ઘણા પરિસ્થિતિ બદલાતા નિરુપયોગી થઈ પડે છતાં જો તે જ વિધિનિષેધોને પકડી રાખવાનો આગ્રહ હોય તો તે ભગવાન મહાવીરના અપેક્ષાવાદની અવહેલના કરવા જેવું જ છે. આપણે આપણી અત્યારની જરૂરિયાતને અનુકૂળ શાસ્ત્રમાં વિધિનિષેધો ખોળવા જઈએ તો મળે જ નહીં. અને ન મળવા માટે જૂના વિધિનિષેધોને અનુકૂળ વર્તન રાખવામાં નહિ પણ સમયાનુકૂળ વિધિનિષેધો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy