SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મસિદ્ધાંત - ૧૨૧ ગોશાલકના અનુયાયીઓનું કહેવું હતું કે સંસારચક્ર નિયત છે તેમાં કોઈ પણ ક્રિયા કે કર્મ વડે કશું જ પરિવર્તન થઈ શકતું નથી, જ્યારે ભ. મહાવીર અને બુદ્ધનું કહેવું હતું કે ભવિષ્ય અનિશ્ચિત છે, તે આપણા પુરુષાર્થને આધીન છે, કર્મને આધીન છે, જેવું ભવિષ્ય બનાવવું હોય તેવાં કર્મ કરવાં જોઈએ–તેવી ક્રિયા કરવી જોઈએ. વર્તમાનમાં જે આપણે છીએ તે ભૂતકાળના કર્મનું ફળ છે. કર્મના આ સિદ્ધાંતનો આપણા જીવનમાં જે પ્રકારે ઉપયોગ દેખાય છે તે નિરાશ જ કરે તેવો છે. કર્મને નામે કે ભાવિભાવને નામે આપણા જીવનમાંથી પુરુષાર્થ સમાપ્ત થયો છે. જે થવાનું હશે તે થશે. ભાગ્યમાં લખ્યું હશે તે થશે, કર્મમાં હશે તે મળશે–આવી ભાવના ભારતના લોકોમાં સામાન્યપણે પ્રચલિત થઈ ગઈ છે. આ તો ખરી રીતે આપણે કર્મના સિદ્ધાંતનું નહિ પણ ગોશાલકના નિયતિવાદનું જ અનુસરણ કરી રહ્યા છીએ. જો તેમ ન હોય તો જીવનમાંથી જે પુરુષાર્થનો લોપ થયો છે તે ન થાત. આપણે જે પરદેશીઓને અધ્યાત્મશૂન્ય કહીએ છીએ તેમના પુરુષાર્થના ફળને ભોગવવા આપણે તૈયાર છીએ, પણ આપણામાં પુરુષાર્થને નામે મીંડું છે. ભ. મહાવીરના પુરુષાર્થના સિદ્ધાંતને વિદેશીઓ બરાબર અનુસરે છે, પણ આપણે તો કર્મસિદ્ધાંતને માનવા છતાં જીવનમાં તો ગોશાલકના સિદ્ધાંતને જ અનુસરતા થઈ ગયા છીએ. ગોશાલકે જ્યોતિષશાસ્ત્રનો વિકાસ કર્યો હતો. કારણ તેના માટે બધું જ નિયત હોઈ ભવિષ્ય ભાખી શકાતું હતું. પણ ભ. મહાવીરનો સિદ્ધાંત તે પુરુષાર્થનો હોઈ ભાવિજીવનમાં નિયતિ નિરર્થક હતી. છતાં પણ આજે ભારતમાં એવો કોણ છે કે જ્યોતિષને માનતો ન હોય ? એટલે આપણા જીવનમાં ભ. મહાવીર પ્રત્યેની અનાસ્થા અને ગોશાલક પ્રત્યેની આસ્થા જ વધી ગઈ છે એમ માનવું રહ્યું. વેદકાળમાં ફળ દેવાની દેવોની શક્તિ મનાતી હતી. પણ મીમાંસાદર્શનના વિકાસ સાથે દેવોની એ શક્તિ છીનવી લેવામાં આવી અને પંડા–પુરોહિતોએ ઠસાવ્યું કે સ્વયં શબ્દમાં એટલે કે મંત્રમાં–જે દેવોની સ્તુતિરૂપ હતા–તેમાં જ ફલ દેવાની શક્તિ છે. આમ દેવોનું મહત્ત્વ ઘટી ગયું અને મંત્રનું મહત્ત્વ વધી ગયું. સાથે સાથે મંત્રના જાણકાર પુરોહિતોનું પણ મહત્ત્વ વધી ગયું. ધર્મની શક્તિ સ્વયં સ્તોત્રોમાં જે હતી તે હવે પુરોહિતોએ લીધી અને મનુષ્ય તેને પરાધીન બની ગયો. ભગવાન મહાવીરે આવી કોઈ મંત્રશક્તિને મહત્ત્વ આપ્યું ન હતું. આવી કોઈ શબ્દશક્તિને મહત્વ આપ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy