SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૦ માથુરી આપણે જન્મ તો ભૂતકાળમાં પામી ચૂક્યા, તેનો હવે ભય શો એમ કોઈને થઈ આવે પરંતુ શાસ્ત્રકાર તો આગામી જન્મને ભયરૂપ બતાવે છે એટલે એ પ્રશ્ન વ્યર્થ છે. અને જો એ જન્મ ભયરૂપ હોય તો એ જન્મની પૂર્વાવસ્થા મૃત્યુ તો ભયરૂપ હોય જ. ત્યારે પ્રશ્ન ઊઠે છે કે જન્મ અને મૃત્યુ જો ભયરૂપ હોય તો જીવનનું શું ? આ પ્રશ્નમાંથી અધ્યાત્મશાસ્ત્રનો ઉદ્ભવ કરી શકાય. જીવનને જીતવાનું નથી. એ જીતી શકાય પણ નહિ. જીવનની અવસ્થા સંસારી જીવનને જીતવાની છે અને એ જિતાય પણ છે. પરંતુ જન્મ અને મરણ તો જીતવા આવશ્યક છે. ત્યારે જીવન એ શું ? એ પ્રશ્નના ઉત્તરની શોધ કરતાં જણાશે કે જીવન એટલે જન્મ અને મરણને જીતવાની કળા. મૃત્યુ ભયરૂપ ખરું પરંતુ પરમ પુરુષ એ આવતા મૃત્યુથી ડરે નહીં તેમ જીવનનો અંત કરવા એ મૃત્યુને ભેટવા ઉત્સુક પણ થાય નહિ. એ તો વીરની પેઠે આવતા ઘાને સહન કરે શક્તિ હોય ત્યાં સુધી ઝૂઝે પરંતુ એમ ન ઇચ્છે કે શત્રુ એક બીજો જબ્બર ઘા લગાવી જીવનનો અંત કરે તો સારું. આજ એ વી૨નો મૃત્યુ પર વિજય. મૃત્યુ ૫૨ વિજય કર્યો એટલે એ મરે નહિ; પરંતુ શુદ્ધાવસ્થાને પામે. અનંત શક્તિધારી થાય. જેણે મૃત્યુ જીત્યું તેને પછી જન્મ જીતવાપણું રહેતું જ નથી. જન્મ તો મૃત્યુને અનુસરે છે જેને મૃત્યુ નથી તેનો જન્મ શાનો ? આ જીવનકળા. એ જીવનકળા હસ્તગત કેમ થાય ? મુદ્દે મુશ્કે મતિમિત્રા એ ન્યાયે, સાધન અનેક છે ભલેને સાધ્ય એક જ છે. જે અનેક સાધનોમાં કોઈ એકને પકડવાથી ઇષ્ટ સિદ્ધિ થાય છે. પરંતુ એ સાધનોની અનેકવિધતા જોઈ ગભરાઈ એક પણ સાધન પકડ્યા વગર સાધનની ખાલી ચર્ચામાં જ વ્યર્થ સમયનો વ્યય કરવામાં આવે અગર તો પોતે પકડ્યું તે સાચું અને બીજું બધું ખોટું એમ માનવા, મનાવવા મંડે ત્યાં ઇષ્ટસિદ્ધિ નથી. પોતે પકડ્યું તે તેના પોતાના માટે ભલે સાચું હોય પરંતુ બીજા બધાએ પણ તે જ સાધન લેવું જોઈએ એમ માનવામાં તે પોતાનું અહિત કરે છે, એવા માર્ગભૂલ્યા માટે શરણભૂત કોઈ હોય તો તે સ્યાદ્વાદ છે. એવાને એ સમજાવે છે કે તમે જે સાધન પકડ્યું તે તમારા માટે યોગ્ય હશે પરંતુ બધાને માટે યોગ્ય ન કહી શકાય. એક જ વૈદ્ય એક જ જાતના રોગીઓને તેમની પ્રકૃતિ જોઈ જુદી જુદી દવા આપે છે. અને બધાને સારું થઈ જાય છે. તો પછી કોઈ રોગી પોતાને For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy