SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. સંયમમાર્ગ उट्ठिए नो पमायए। એક જ ધ્યેયને પહોંચવા માટે એક જ માર્ગ હોય એ કોઈ માની શકે તેવું નથી. વ્યક્તિની ભિન્નતાને લઈને એક જ સાધ્યનાં જુદાં જુદાં સાધનો સંભવે છે, એ વસ્તુ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી. જો એમ ન થતું હોત તો આપણી સામે પ્રચલિત મતમતાંતરો હોત જ નહીં. એ સનાતન નિયમ જેમ બીજે બધે સાચો છે તેમ સંયમમાર્ગમાં પણ છે. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના જ ઉદાહરણો લો. બંનેને નિર્વાણ ઈષ્ટ હતું છતાં પણ બન્નેની સાધના જુદી જુદી રીતે હતી તેની હરકોઈ જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મનો અભ્યાસી સાક્ષી પૂરશે. બંનેના રાહ જુદા હતા છતાં પણ બન્ને વિભૂતિઓ ઈષ્ટ તત્ત્વને પામી છે તેનો ઈન્કાર કોણ કરી શકે એમ છે ? એક જ સાધ્યની સિદ્ધિમાં કાળના સપાટાથી પણ સાધનની ભિન્નતા થઈ જાય છે એ પણ એટલું જ સનાતન સત્ય છે. પ્રાચીન સમયમાં જ્યારે જનસમુદાય સાધારણ રીતે સુખી હતો, સંતોષી હતો ત્યારે જેને આ સંસારની સ્વાર્થમય પ્રવૃત્તિઓથી કંટાળો ઊપજતો, તેઓ પોતાના સમસ્ત ધનદોલતને ઠોકર મારી જંગલનો આશ્રય લેતા તે સર્વથા અયોગ્ય તો ન જ હતું. ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ આત્મદર્શન એકાંતમાં રહીને જ કરેલું અને પછી જ સમસ્ત પ્રાણીઓને સાંસારિક ત્રાસથી મુક્ત કરવાનો પ્રયાસ આદર્યો હતો. અને તે મહત્કાર્યમાં જ પોતાની શેષ જિંદગી વિતાવીને નિર્વાણ પામ્યા હતા. પરંતુ અત્યારે પરિસ્થિતિ તદ્દન બદલાઈ ગઈ છે. સુખ શોધું જડતું નથી. અસંતોષની ભયંકર જવાળા ચોતરફ ફેલાઈ રહી છે. વસુંધરા ઝપાટાબંધ રસહીન થતી જાય છે. ઊપજ પરિમિત છે અને તે પણ અમુક જ વ્યક્તિઓના ભંડારને શોભાવી રહી છે અને પરિણામે કરોડો રાતદિવસ સતત પરિશ્રમ કરવા છતાં જીવનની પ્રાથમિક જરૂરિયાત–અન્ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy