SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૦ • માથુરી હિંસા કરવી નહિ–આ જીવનમંત્ર એટલે કે જીવવ્યવહાર ગોઠવવા માટેનો વ્રતમંત્ર છે. આ મંત્રનો ઉપદેશ ભગવાને આપ્યો. તેમણે પોતાના અણસાર જીવનની શરૂઆત જ આ સામાયિક વ્રતના સ્વીકારથી કરી છે. સમભાવ કહો કે સામાયિક એ જૈન આચારના કેન્દ્રમાં છે. બધો જ આચાર આ સામયિકના કેન્દ્રમાં છે. બધો જ આચાર આ સામયિકને કેન્દ્રમાં રાખીને છે. મનુષ્ય બીજાને દુ:ખી કરવા જે પ્રયત્ન કરે છે તેનાં કારણોમાં પરિગ્રહ એટલે કે મમત્વ પછી તે કુટુંબીજનોનું હોય કે ભૌતિક સંપત્તિનું હોય. તે જ મુખ્ય કારણ છે. એટલે પરિગ્રહના પાપને સૌથી મોટું બંધન ભગવાન મહાવીરે માન્યું છે તેથી સમગ્ર પરિગ્રહથી મુક્તિ એ સામાયિકની સાધનાની પ્રથમ શરત છે. જીવનમાં હિંસાને સ્થાન તો મળે છે જો જીવને પરિગ્રહનું બંધન હોય છે. માટે ભગવાન મહાવીરે અણસાર જીવનમાં માત્ર સગાંસબંધીનો જ ત્યાગ પર્યાપ્ત નથી માન્યો પણ કોઈ પણ પ્રકારના ભૌતિક પરિગ્રહને પણ ત્યાગ સ્વીકાર્યો છે. આથી તેઓ નગ્ન થઈ એકાકી વિચર્યા. પોતાનું કહેવાય એવું કોઈ મકાન પણ ન સ્વીકાર્યું. ભોજનનો પ્રશ્ન ભિક્ષાથી ઉકેલ્યો અને વસ્ત્ર તો રાખ્યું જ નહિ. આમ પરિગ્રહના બંધનથી તેઓ મુક્ત થયા. બાહ્ય પરિગ્રહનું બંધન તો થાય છે તો આંતરિક મૂચ્છ મમત્વ ભવ્ય હોય છે. તે એ મમત્વનો ત્યાગ એ ધ્યેય બનાવી અહિંસક બન્યા. પોતાના અનુયાયી માટે પણ માત્ર વસ્ત્રની બાબતમાં એટલી છૂટ આપી કે શિયાળામાં અથવા તો લજ્જા ન જિતાઈ હોય તો સમાજ વચ્ચે ફરતી વખતે એક ટુકડો આવરણ માટે રાખવો પણ લજ્જા ન જિતાઈ હોય તો સમાજ વચ્ચે ફરતી વખતે એક ટુકડો આવરણ માટે રાખવો પણ લજ્જા જીતવાનો પ્રયત્ન તો કરવો જ અને લજ્જા તથા શીત પરીષહથી ટેવાઈ ગયે વસ્ત્રનો સદંતર ત્યાગ કરવો એમ ઉપદેશ આપ્યો. આને આધારે તેમણે પોતાનો શ્રમણ સંઘ ઊભો કર્યો. મર્યાદિત ત્યાગની ભાવનાવાળાઓ માટે શ્રાવકસંઘ ક્રમે કરી ભેદ થયો. જેમને તેમના આચરણ અને ઉપદેશ વિશે વિશ્વાસ જામ્યો હતો પરંતુ તદનુરૂપ આચરણની અશક્તિ હોઈ મર્યાદિત વ્રતોનો સ્વીકાર જેઓ કરી શકતા હતા તેઓ આ સંઘમાં દાખલ થયા. સામાયિકના જ વિસ્તારરૂપે અણગારોએ સર્વ પ્રકારની હિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહથી મુક્ત થવાનું હતું જ્યારે શ્રાવકોએ અંશથી તે પાંચે પાપોથી મુક્ત થવાનું હતું અને કેટલાંક તેમાં સહાયક વ્રતો પણ પાળવાનાં. આમ ભગવાન મહાવીરના અનુયાયીઓએ જો ધર્મનું પાલન કર્યું તે ક્રમે કરી જૈન ધર્મ કહેવાયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy