SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના કેન્દ્રવર્તી સિદ્ધાંતો અહિંસા, અપરિગ્રહ, અનેકાન્ત ૧ ૭૯ એટલે કે પુરુષાર્થ ની નિરર્થકતાનો વાદ હતા તેનું અનુસરણ મંખલિ ગોશાલકના અનુયાયીઓ કરતા. ઉપનિષદમાં આત્મજ્ઞાન ઉપર ભાર આપવામાં આવ્યો તે આ જગતમાં કશું નિશ્ચિતરૂપે જાણી જ શકાતું નથી માટે અજ્ઞાન જ શ્રેય છે એવો વાદ પણ શ્રમણોમાં સંજય બેલદીનો હતો. આ ઉપરાંત આત્મા કે કર્મ જેવી કોઈ વસ્તુ નથી, પરલોક જેવું પણ કશું નથી, પુણ્યપાપ નથી, કોઈ કોઈની હિંસા કરી શકતું નથી, આવા નાસ્તિકવાદો પણ શ્રમ-શ્રમણોમાં પ્રચલિત હતા. વળી નિર્પ્રન્થ પરંપરા જે શ્રી મહાવીર પછી વિશેષરૂપે જૈનધર્મને નામે ઓળખાઈ તે પણ હતી. આ પ્રકારની ધાર્મિક ભૂમિકામાં શ્રી મહાવીર અને બુદ્ધિનો ઉદ્ભવ થયો છે. અહીં આપણે વિશેષરૂપે શ્રી મહાવીરે આ પરિસ્થિતિમાંથી પોતાનો માર્ગ કેવી રીતે કાઢ્યો તે જોઈએ. હિંસાની આત્યંતિકતા સામે અહિંસાની આત્યંતિકતા શ્રી મહાવીરે આચરી અને ઉપદેશી એમ જો કહીએ તો ઉચિત થશે. જીવનવ્યવહારમાં સર્વત્ર તેમને હિંસા જ હિંસા જ દેખાઈ અને તેથી સમગ્ર જીવનમાંથી હિંસા દૂર કરવા અંગે સંપૂર્ણ અહિંસક બનવા પ્રયત્ન આચર્યો અને તેમના અનુયાયીઓને પણ તે માર્ગે દોર્યા. જેમ આત્યંતિક હિંસાથી જીવન ચાલતું નથી તેમ આત્યંતિક અહિંસાથી પણ જીવન ચાલતું નથી, આ વસ્તુ તેમને આચરવામાં અહિંસા સર્વથા અહિંસાના પાલનના પ્રયત્નમાંથી સમજાઈ છે અને તેથી જ તેમણે હિંસાબાહ્ય જીવવઘા કે અન્ય જીવની વધુ એ જ માત્ર હિંસા છે એમ ન માન્યું પણ આત્મવધ એ પણ હિંસા છે એમ માન્યું. અને આત્મવધ એટલે આત્માનાં દૂષણો દ્વારા થતી આત્માની દુષ્ટતા એ જ ખરી હિંસા છે અને તેને કારણે જ બાહ્ય બધા પ્રકારની હિંસાને અવકાશ મળે છે, એ પણ તેમણે અનુભવ્યું આથી હિંસાની વ્યાખ્યા જ બદલાઈ ગઈ અને અહિંસક જીવનની શકયતા આત્યંતિક અહિંસક જીવનની શકયતા સિદ્ધ થઈ શકી. એક તરફ નિયતિવાદનો વિરોધ કરી કર્મવાદ પુરુષાર્થવાદ અને બીજી તરફ હિંસા-અહિંસાનો પ્રશ્ન એનો પ્રશ્ન એનો પણ મેળ મેળવવાની જરૂર હતી જ. જીવો પોતાનો કર્મે કરી જન્મે છે અને મરણ પણ તેના કર્માનુસાર જ થાય છે, તે પછી તેને મારનાર અન્ય હિંસક કેવી રીતે ? આ પ્રશ્નના સમાધાન પણ આવ્યા વધ એ જ ખરી હિંસા એમ માનવામાં રહેલું. જો બાહ્ય હિંસા એ હિંસા નથી એમ માન્યું તો જીવનમાંથી અન્ય જીવોની હિંસા દૂર કરવા શા માટે પ્રયત્ન કરવો ? આ પ્રશ્નનું સમાધાન એ છે કે બધા. જ જીવો સુખ ચાહે છે, કોઈને પણ દુઃખ પસંદ નથી. માટે કોઈ પણ જીવની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001059
Book TitleMathuri
Original Sutra AuthorN/A
AuthorDalsukh Malvania, Jitendra B Shah
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages269
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy