SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ આ૦ કની પેઢીના ઈતિહાસ એમ ન કરવામાં આવે તેા જે તે ધર્મવાળાની ધાર્મિક લાગણી દુભાયા વગર રહેતી નથી. આમ છતાં, એમણે ટૂકમાં જવાને બદલે દેરાસરાને જોયા વગર જ નીચે ઊતરવાનું પસંદ કર્યું. તે કેવળ દરખારશ્રીની ચડવણીને કારણે જ. 939 (૨) આવા જ એક બીજો પ્રસંગ પેઢીની લાડ લેમિન્ગ્ટન ઉપરની અરજીમાંથી જાણવા મળે છે, જે આ પ્રમાણે છે. એક વખત કુમાર રણજિતસિંહજી, એના સાથીઓ તથા એક અંગ્રેજ સગૃહસ્થ સાથે, પાલીતાણાના મહેમાન બન્યા. તેઓએ પણ ઠાકેારસાહેબે અગાઉથી સૂચના આપ્યા મુજબ પગરખાં પહેરીને જ ગિરિરાજ ઉપર ટ્રકમાં જવાની ઇચ્છા દર્શાવી. એ વખતે પણ ટૂંકના દરવાજા 'ધ કરી દેવાને કારણે એ બધાને, ગુસ્સામાં નીચે ઊતરી જવુ' પડયું હતું. (૩) કાઠિયાવાડના પાલિટીકલ એજન્ટની એફિસમાં મિ. કેપ્ટન હૅન્કેક નામના એક અમલદાર હતા. તેઓ એક વાર ગિરિરાજ જોવા માટે ગયા. પણ અંદરના ભાગમાં તે જોડા ઉતારીને ફરવાને બદલે જોડા પહેરીને ફર્યાં. આથી જૈન સંઘમાં જે દુઃખ અને વિરાધની લાગણી ઊભી થઈ તેને શાંત કરવા તેઓએ તરત જ લેખિત માફી માગીને એ પ્રકરણને શાંત કરી દીધુ. (૪) તા. ૧-૧-૧૯૦૫ના રાજ મુંબઈની સ્કૂલ ઑફ આર્ટ્રેસના મિ. અન્સ અને તેમનાં પત્ની, તેમ જ મુંબઈના ડેપ્યુટી પોલીસ કમિશ્નર મિ. આર. પી. લેમ્બ પાણીતાણા રાજ્યનાં મહેમાન બન્યાં હતાં. અને ગિરિરાજની મુલાકાતે ગયાં હતાં. તે ઉપર ગયા ત્યારે ડુગર ઈન્સ્પેકટર મિ. સાંકળેશ્વરે એમને ચામડાનાં પગરખાં કાઢી નાખવાનું કહ્યું હતું; પણુ દરખારશ્રી તરફથી એમને સૂચના આપવામાં આવી હતી કે, એવું કરવાની જરૂર નથી, એટલે તેએ ચામડાનાં પગરખાં ઉપર કેન્વાસનાં પગરખાં પહેરીને દાખલ થયા હતા. પશુ મિ. લેમ્બના પગના માપનાં કેન્વાસનાં પગરખાં મળી ન શકવાથી એમને પેાતાનાં ચામડાનાં પગરખાં કાઢી નાખવાની ફરજ પડી હતી. તેઓને માટે તા, ચામડાનાં પગરખાં કાઢીને એના સ્થાને કેન્વાસનાં પગરખાં પહેરવામાં અંગત રીતે કાઈ જાતના વાંધા નહાતા; પણ મહાજન કામના કેટલાક આગેવાના અને દરખાર વચ્ચે જે ઝઘડા ચાલે છે તેમાં દરખારના હકને નુકસાન ન પહેાંચે એ ષ્ટિએ તેએએ એમ કયુ ન હતું. તેઓની ગિરિરાજની આ મુલાકાત વખતે કાઈ દુઉંટના મનવા નહાતી પામી, પણ એમણે પેઢીના ઇન્સ્પેકટર પાસે વિઝિટબુકની માગણી કરતાં આવી બુક રખાતી હાવાનો ઇન્કાર કરવામાં આવ્યા ત્યારે એમણે એક જુદા કાગળમાં, પેાતાની આ મુલા કાતની વાત લખી હતી. અને એ લખાણમાં જ એમણે દરખારના હિતને પાતાના વતનથી કાઈ જાતનુ નુકસાન પહોંચવા ન પામે એવી નોંધ કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy