SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ હર શેઠ આ૦ કટની પેઢીને ઇતિહાસ ઉપર સૂચવેલી બે અરજીને હવાલે આપીને ગિરિરાજ ઉપર બનેલ બીજી દુર્ઘટનાને (તા. ૧૧-૪-૧૯૦૩ ના રોજ પાલીતાણા રાજયના સિપાઈઓ હથિયારો સાથે, પગરખાં પહેરીને બીડી પીતાં પીતાં મુખ્ય ટૂકની અંદર ફર્યા હતા તે ઘટનાને) પણ ઉલ્લેખ કરવામાં આવ્યા હતા. આ અરજીમાં પાલીતાણાના વર્તમાન દરબાર તથા તે પહેલાંના દરબાર સાથે લાંબા વખતથી જૈન સંઘને ચાલી રહેલ ખટરાગના દાખલાઓ આપવામાં આવ્યા હતા. અને તે કારણે અનેક વાર બ્રિટિશ હકૂમતને દરમિયાનગીરી કરીને જે ફેંસલે અથવા સમજૂતી કરાવી આપવાની ફરજ પડી હતી તેને પણ નિર્દેશ કરવામાં આવ્યો હતે. અને છેવટે આ બનાવના સાચા-ખોટાપણાની તપાસ કાઠિયાવાડના એજન્ટ ટુ ધ ગવર્નરશ્રીએ જાતે કરવાની અથવા તે આવી તપાસ થાય એવી ગોઠવણ કરી આપવાની ભારપૂર્વક માગણી કરવામાં આવી હતી. અને સાથે સાથે એમ પણ સૂચવવામાં આવ્યું હતું કે આ બાબતમાં જે દરબારશ્રીને બચાવ ઓટો સાબિત થાય તો તેઓ આવા બનાવ માટે જૈનસંઘ જેગ દિલગીરી જાહેર કરે અને ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થવા પામે એની બાંહેધારી આપે, અને સામે પક્ષે એટલે કે શ્રાવક કેમના પક્ષે જે એણે દરબારશ્રી સામે કરેલા આક્ષેપ બેટા પુરવાર થાય તે આવી બેટી અને નિરાધાર બાતમી આપનારાએની સામે પણ ઘટતાં પગલાં લેવાની તૈયારી બતાવવામાં આવી હતી. કાઠિયાવાડના એજન્ટ ટુ ધ ગવર્નર મિ. કવીને આ અરજી ધ્યાનમાં લઈને એને ચુકાદો આપવાનું કામ પોલિટીકલ એજન્ટ લેફ. કર્નલ જે. એસ. આરબીને સોંપ્યું. મિ. આબીએ તા. ૨૨-૬-૧૯૦૩ ના રેજ મિ. કવીનને પેઢીના પ્રતિનિધિઓએ કરેલી અરજીનો ચુકાદો આપ્યા, તે ચુકાદામાં તેમણે તા. ૨૭-૧-૧૮૮૦ ના ગોહેલવાડ પ્રાંતના આસિસ્ટન્ટ પિોલિટીકલ એજન્ટ મિ. ફિઝિરાડે આપેલ એક ફેંસલાને આધાર લઈને પાલીતાણાના દરબાર ટૂકની અંદર પગરખાં સાથે રહ્યા હતા એ બાબત વાંધાજનક નહીં હોવાનું કહીને આ રીતે ટૂંકમાં ફરવાની પાછળ એમને કેઈ જાતને બદઇરાદે ન હતું એ મતલબને પિતાને અભિપ્રાય આપ્યું હતું. મિ. ફિઝિરાહના જે ફેંસલાને ઉપગ મિ. આશ્મીએ કર્યો હતો તે આ પ્રમાણે હતો : શેર “શેઠ આ. ક. તરફની અરજી ત્થા આ જવાબ જોતાં સ્વાસ્થાન પાલીટાણુનાં પિલિસ સુપ્રિન્ટેન્ડન્ટ કાંઈ તપાસ માટે પોતાનાં હથીઆર અને બુટ શહીત ગઢમાં જતા હતા તેમાં શ્રાવક તરફનાં સીપાઈ એ મન કરેલ જણાય છે. ત્યા સ્વસ્થાન પાલીતાણા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy