SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાંક ઝઘડા પોલિટીકલ એજન્ટ ઉપરની અરજીઓ, આસિસ્ટન્ટ પાલિટીકલ એજન્ટ ઉપરની અરજીઓ, પાલીતાણા રાજ્યને કરેલી અરજીઓના સમાવેશ થાય છે. આમાંની મોટા ભાગની અરજી પેઢીના પાલીતાણા શાખાના મુનીમશ્રી ઇંદરજી મકનજી દેસાઇની સહીથી કરવામાં આવેલી હતી; જ્યારે કેટલીક અરજીઓ અને ખાસ કરીને મુબઈના નામ. ગવનરશ્રી ઉપર માકલવામાં આવેલ મેમારેન્ડમ પેઢીના વહીવટદાર પ્રતિનિધિઓની સહીઓથી માકલવામાં આવ્યા હતા. આ અરજી ઉપરાંત શ્રી જૈન એસે, ઓફ ઇન્ડિયા તથા શેઠ આણુંદજી કલ્યાગુજીની પેઢી તરફથી કેટલેક તારવ્યવહાર પણ કરવામાં આવ્યેા હતા. ચારેક મહિના જેટલા ટૂંકા ગાળામાં આ પ્રકરણ અંગે વિપુલ પ્રમાણમાં પત્રવ્યવહાર તથા તારવ્યવહાર તેમજ પ્રચાર કરવામાં આવેલ હતા. તે ઉપરથી પણ શેઈ શકાય છે કે જૈન સંઘે પગલાં ચારીના આ પ્રકરણ પ્રત્યે કેટલી ગંભીરતા અને જાગૃતિ દાખવી હતી અને એના સતાષકારક ઉકેલ આવે એ માટે કેવા અવિરત પ્રયત્ન કર્યાં હતા. અને છેવટે આ પ્રકરણનુ' પૂરેપૂરું સુખદ નહીં, છતાં શ્રીસંઘને સાષ થાય એવુ જે પિરણામ આવ્યુ હતું તે મુંબઇ સરકારના તા. ૨-૧૦-૧૮૮૫ના નંબર પ૯૮૮ ના ઠરાવ ઉપરથી જાણી શકાય છે. એ ઠરાવ આ પ્રમાણે છે— “ઠરાવ સરકારના એવા અભીપ્રાય છે કે ગઈ તા. ૧ અગષ્ટના રાજના નખર ૪૭૬૩ના ઠરાવમાં કરેલ હુકમમાં કાંઈ ફેરફાર કરવા કાઈ પણુ કારણ નથી અને એ ઠરાવ અરજદારાને 'જણાવવા. ૫૩ “ ૨. પગલાંની માલેકી ખાખત એમ અનુમાંન કરવામાં આવે છે કે તે પગલાંની વ્યવસ્થા કરવાને માજેવ્રેટને પાલીસ ઉપર હુકમ આપવા પડશે તે માજેએટ જે ઠેકાણેથી એ પગલાં કાહાડી નાંખવામાં આવ્યાં છે તે ઠેકાણે તે પાછાં મુકાવા હુકમ કરશેા.૨૭ ઉપરના ઠરાવના બીજા પેરેગ્રાફના અનુવાદ આ ફાઇલમાંના એક પત્રમાં આપવામાં આવ્યા છે તે વધારે સરળ છે તેથી અહીં તેને ફીથી ઉતારવામાં આવ્યા છે— 66 હાલના એટલે નખર ૧૯૮૮ તા. ૨-૧૦-(૧૮)૮૫ ના ઠરાવના બીજા પારીગ્રાફમાં સરકાર ફરમાવે છે કે પગલાંની માલેકી બાબતમાં ચારીનેા કેસ જે માજીસ્ટ્રેટ સાહેબની આગલ ચાલશે તે શાહેબ શદરહુ પગલાંની વ્યવસ્થા કરવા શખ`ધી હુકમ આપશે અને તાંહાંથી શદરહુ પગલાં ખસેડવામાં આવાં હશે તાંહાં પાછા રાખવાના હુકમ આપશે એમ શરકાર ધારે છે.” (પૃ. ૨૮૨) , Jain Education International 66 · (સહી) જે. ખી. રીચી સરકારના ચીફ સેક્રેટરી ” For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy