SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પાલીતાણા રાજ્ય સાથેના કેટલાક ઝઘડા કારણ કે નવાં દહેરાં બાંધવાને પૈસા લેવા ઠાકોરના હક વિશે પહેલવહેલું તે સ્પષ્ટ માંગુ છે.” નવમા પેરેગ્રાફનો શેડોક ભાગ આ પ્રમાણે છે: “ડુંગર ઉપર તેઓ એક પછી એક દહેરાં બાંધે જાય છે. (“ટુક” અથવા અહીં લખેલી “ટુગ”ને અર્થ કોટ છે જેની અંદર દહેરાં છે.) કાંઈ પણ નવું પગલું કે પ્રતિમા બેસાડે તેને માટે “નજરાણે” લેવાને મારે રિવાજ છે. પણ હાલ તે મને દોકડે આપતા નથી એટલું જ નહિ, તેમ પરવાનગી પણ લેતા નથી. ડુંગરની જમીન મારી છે.” (મૂળ ગુજરાતી યાદમાંનું આ લખાણ આ પ્રમાણે છે : “હાથ એક જગા નવી કરે તથા પૂતળું એક માંડે તે અમોને રાજી કરીને બોલ્યા પ્રમાણે રૂપિયા આપીને કરે. પણ હાલ તો અમને દેકા દેતા નથી ને પૂછતા પણ નથી.”) (પાલીતાણા જૈન પ્રકરણ, પૃ. ૭). આ જ યાદમાંની ૧૦મી કલમની નકલ પેઢીના દફતરમાં નોંધાયેલી આ પ્રમાણે મળે છે ? તા. ૨૭ જાનેવારી સને ૧૮૩૬ સન (વિ. સં.) ૧૮૯૨ ના માહા સુદી ૯. મે. લોન્ગ સાહેબ હજુર ગોહીલ ને ઘણુજી તથા કુંવર પરતાપસંગજીએ ઈજારા સંબંધી કલમ ૧૧ ની અરજી આપેલ તેમાંથી ઈનખાબ. ૧૦. અમારા ડુંગરની જગે તે અમારી છે પણ સેઠવાલા તે પોતાની બાપુની કરી બેઠા છે ને પાલીતાણા તાલુકા ઉપર કરજ કરીને તાલુકો ડુબાવ્યો છે. પણ સાહેબના રાજમાં એવડે જુલમ કરે છે તે સાહેબ મહેરબાન થઈ અમારો ખુલાસે કરી આપવા સરકાર ધણી સમરથ છે. એ જ અરજ સંવત ૧૮૯૨ ના પાસ વદી ૧૧.” | દરબારની આ માગણી બાબતમાં વધારામાં મિ. કેન્ડીએ પોતાના અહેવાલમાં (પૃ. ૮) લખ્યું છે કે, “શ્રાવકની તરફથી તકરાર બતાવે છે કે ઠાકરે સને ૧૮૩૮ માં એ યાદ પાછી ખેંચી લીધી છે. અને તે સાલની ગુજરાતી યાદ જોવરાવવા માગે છે, જેમાં તેઓના કહેવામાં છે કે ઠાકોર લખે છે કે અદેખા લેકની સલાહથી ભૂલથી તેણે ૧૮૩૬ ની યાદ આપેલી છે, પણ આ યાદ સહી વગરની છે અને દફતરમાં ૧૮૩૮ ની યાદને પત્તો મળતું નથી, માટે હાલનો દા અથવા તેને લગતે કેઈપણ દા ૧૮૩૬ની સાલમાં ખુલી રીતે કરવામાં આવેલ એમ સાબિત થયું એમ ગણવું જોઈએ; પણ તે ઉપર કાંઈ કર્યું હોય એમ જણાતું નથી." મિ. કેન્ડીએ આ ફકરામાં જે કંઈ સૂચવ્યું છે તેને અર્થ એ થાય છે કે દરબારે સને ૧૮૩૬ ની સાલમાં આપેલી યાદ ખરી હતી અને તે પાછી ખેંચી લીધાની શ્રાવક કેમની વાત તેમને વજૂદવાળી લાગી ન હોય. એટલે એમણે તે, દરબારશ્રીએ જમીનની માલિકીના હક સંબંધી તથા જે જમીન ઉપયોગમાં લેવામાં આવે તેનું વળતર લેવાને પિતાને હા હવા સંબંધી માગણી સાચી છે, એમ જ માની લીધું હતું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy