SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શેઠ આ કરની પેઢીમાં ઇતિહાસ દાખલાથી સમજાવવા હોય તો તે સબધ આંધળા અને પાંગળાની વચ્ચેના સંબધ જેવાં છે, એટલે કે આંધળાને આગળ વધ્યુ હોય તા પાંગળાની નજરના ઉપંચાગ કરવા જોઈએ અને પાંગળાંને આગળ વધ્યુ હોય તો આંધળાની ચાલવાની શક્તિના ઉપયાગ કરવા જોઈ એ. જ્ઞાન અને ક્રિયા વચ્ચેના સંબધને આવી રીતે ઉપયાગી મનાવી શકાય. જ્ઞાનની ઉપાસનાના અંતે ક્રિયા એટલે કે ચારિત્ર્ય આવે તે તે જ્ઞાન ચરતા થઈ શકે અને ક્રિયા જ્ઞાને વેરેલા પ્રકાશને સહારે સહારે આગળ વધે તે તે ચરતાથ થઈ શકે. મતલબ કે, ક્રિયા–ચારિત્ર્ય વિનાનુ જ્ઞાન કંઈ ફળ આપી શકતું નથી અને જ્ઞાન વિનાની ક્રિયા એ સાચી દિશામાં સાધકને સિદ્ધિ અપાવી શકતી નથી. આના અર્થ સાદી રીતે કહેવા હોય તે એમ કહી શકાય કે પહેલાં મંજીલની દિશાનું જ્ઞાન મેળવવું અને પછી મ‘જીલની દિશામાં પગલાં માંડવા, એ જે મજીલે પહેાંચવાના સાચા ઉપાય છે એટલા માટે જ જૈન શાસનમાં જ્ઞાનવિજ્યામ્યાં મોક્ષ:। એમ અનેક સ્થાને કહેવામાં આવ્યું છે. આ રીતે જૈન પર પર્સમાં (અને ખીજી પર’પરાઓમાં પણ) જ્ઞાનનાં મહિમા સ્ત્રીકારવામાં આળ્યેા છે, પહેલુ' જ્ઞાન ને પછી ક્રિયા' (પઢમં નાળ તકો થા !) એમ જે કહેવામાં આવ્યુ છે તે ભારે મહત્ત્વનું કથન છે, જ્ઞાનના આવા મહિમા સ્વીકારીને શેઠ આજીજી કલ્યાણજીની પેઢી તીર્થસ્થાના અને જિનમ દિાની સાચવણી સાથે સાથે જ્ઞાન પ્રવૃત્તિને પણ પાતાની ‘મર્યાદા પ્રમાણે' પ્રેાત્સાહન આપતી રહી છે જે નીચેની માહિતી ઉપરથી જાણી શકાય છે. (૫) પેઢી તરફથી પ્રાશિત કરવામાં આવેલ પુસ્તક : (૧) સિદ્ધહેમચં દ્રવ્યાકરણ : સ‘પાદક ; - પ. પૂ. મુનિરાજ શ્રી હિમાંશુવિજયજી મહારાજ, ન્યાયકાવ્યતીથ (સ્વ. આચાર્ય શ્રી વિજયધમસૂરીશ્વરજી મહારાજ કાશીવાળાના સમુદાયના) પ્રકાશન સાલ-વિ: સ. ૨૦૨૬, કિંમત રૂ. ૧૬,૦૦, -: (૨) જૈન તીર્થ સંવસ ગ્રહ – ભાગ – ૧, ૨, ૩. સાદ – ૫. એ ખાલાલ પ્રેમચંદ શાહ, પ્રકાશન સાલ – વિ. સ. ૨૦૧૦. (૩) ભક્તિ અને કલાના સંગમનું તીથ શ્રી રાણકપુર (સચિત્ર ટૂ ́ક પરિચય) લેખક શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, : આ પુસ્તિકા ગુજરાતી, હિંદી ત્યા અંગ્રેજી ભાષામાં પ્રગટ કરવામાં આવી છે. ગુજરાતીની મીજી આવૃત્તિ સને ૧૯૮૨માં, હિંદીની બીજી આવૃત્તિ સને ૧૯૮૨માં અને અંગ્રેજીની ખીજી આવૃત્તિ સને ૧૯૮૨માં આ પુસ્તિકાની ત્રણે ભાષાની છેલ્લી આવૃત્તિની કિંમત રૂં. ૨.૰છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy