SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શેઠ આ ૬૦ની પેઢીના ઇતિહાસ હાય અને શરીર દુર્ગંધ મારતુ. હાય, તથા દાઢી અને માથાના વાળ વધી ગયા હેાય ત્યારે તેની સુંદરતાના હાલ કેવા દેખાય ! તેવા જ હાલ આ અદ્ભુત દેવવમાન જેવા બૈલેાકચદીપકપ્રાસાદના જીર્ણોદ્વાર પૂર્વે હતા, તેવી કલ્પના કરીએ તેા તે કાંઈક યોગ્ય સરખામણી ગણાશે. હાલ જો એક કારીગરનું એક ક્વિસનું વેતન ૧૦) રૂપિયા અપાતું હાય તા આ દ્ધિાર વખતે તે રૂ. ૧-૫૦ અપાતું હતું, તેવા સમયમાં આ મ`દિરના ગૃહારમાં શેઠ આણુ દજી કલ્યાણુજીએ રૂ. ૪,૭૦,૦૦૦ ખર્ચ્યા છે. તે ઉપરથી કામના પરિમાણને ખ્યાલ આવે તેમ છે. આ તા બધી મ"દિરના જીર્ણોદ્ધારની ઝીણવટભરી સૂક્ષ્મ વાતા થઈ, પરંતુ શેઠશ્રી કસ્તૂરભાઈની વિશાળ દૃષ્ટિ ફક્ત આટલી સુધારણાથી સાષ માને તેમ નહેાતી. તેમને શ્રી ધરાશાની આ અમૂલ્ય ભેટની કલાનુ રસાસ્વાદન કરવા સમસ્ત ભારત અને સમસ્ત વિશ્વના સૌદ પ્રેમીએ અહી આવી દેવાપણુ કરાયેલી કલા દ્વારા, માનસિક શાન્તિ અને આનંદ પ્રાપ્ત કરે, તેમ કરવું હતુ, અને તે માટે મંદિરની બહાર પણ દૃષ્ટિ દાડાવ્યા વિના ચાલે તેવું ન હતું. મદિરની દીવાલાને લાગીને નાની નાની ઓરડીઓવાળી ધર્મશાળા બનાવવામાં આવેલી હતી. તેના મંદિરની સાથે લાગેલે ભાગ શકય તેટલા મંદિરથી દૂર હટાવવાના નિય લેવામાં આવ્યા. મંદિરની આજુબાજુ આવેલી સમસ્ત જમીનને ફરતા કાર્ટ બનાવવામાં આવ્યા અને તે જમીનમાં પ્લાટા પાડી સુંદર વિશાળ પચાસ અને સાઠ ફીટ પહેાળા રસ્તા ફૂટપાથની કિનારીએ બાંધીને બનાવવામાં આવ્યા. રસ્તાઓ ઉપર વૃક્ષો વવરાવવામાં આવ્યાં. નવી અદ્યતન ઢબની ખે ધર્મશાળા બનાવવામાં આવી. અને છેલ્લી ઢબનાં દરેક સાધના ત્યાં વસાવવામાં આવ્યાં. યાત્રીઓને ભોજન બનાવવાની કડાકૂટમાંથી ઉગારી લેવા માટે સુ ંદર ભોજનશાળાનું નિર્માણ કરવામાં આવ્યું. આજીતીર્થના દેવમંદિરનાં કર્ણોદ્ધારની કહાણી રસમય અને માહિતીપૂર્ણ ભાષામાં મિ અમૃતલાલભાઈ ત્રિવેદીએ પાદનોંધ નં. ૨ માં જણાવેલ પુસ્તિકામાં રસમય રીતે આપી છે. જિજ્ઞાસુઓને એ પુસ્તિકા જોવા ભલામણ છે. એ પુસ્તિકાની નકલ શેઠ આણંદજી કલ્યાણુજીની પેઢીની અમદાવાદની મુખ્ય શાખામાંથી મળી શકે એમ છે. ૪. પેઢી તરફથી જેમ પ્રાચીન મ`દિરાના જર્ણોદ્ધાર માટે સહાય આપવામાં આવે છે તેમ સમયને પારખીને નવાં જિન મંદિશ માટે પણ સહાય આપવામાં આવે છે જે અંગે પેઢીના પ્રમુખ શેઠ શ્રી શ્રેણિકભાઈએ વિ. સં. ૨૦૪૧ ની જનરલ મીટિંગમાં નીચે મુજબ રજૂઆત કરી હતીઃ નૂતન જિનાલયેા માટે પણ સંવત ૨૦૩૨ થી ૨૦૪૦ ની સાલ સુધીમાં રૂ. ૨૩,૭૮,૦૦૦ મજૂર કરવામાં આવ્યા છે. અને તે પૈકી રૂ. ૧૭,૬૯,૦૦૦ ચુકવી દેવામાં આવ્યા છે.' 6c Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy