SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ પેઢીએ કરાવેલ છ[દ્વારા ૧૯૭ રહ્યા. આગલા દિવસે આ જગ્યાએ વાઘ આવ્યા હતા અને કૂતરું લઈ ગયા હતા. આ વિસામાં ત્યાંના પૂરેપૂરા સરવે કરી, જીર્ણોદ્ધાર કેવી રીતે કરવા ને શા શા સુધારાવધારા કરવા તે વિચાયુ.. શ્રીયુત એટલીએ તેમના રિપોર્ટ તા. ૩૦-૩-૩૩ના રાજ આપ્યા, જે હાલ પેઢીમાં મેાજૂદ છે. આ કામ કરાવવા માટે કાન્દ્રાકટ આપ્યા. ત્રણ મહિના પછી મે' તથા ટ્રસ્ટીઓએ ત્યાં જઈ કામ જોયું તેા તે બિલકુલ સારુ' નથી તેમ જણાયુ'. મેં તેમને જણાવ્યુ કે આ કામ નિસ્તેજ છે અને મૂળ કામની સાથે સુસંગત થાય તેવુ... નથી. તેથી કરેલુ' કામ રદ કરી નવેસરથી ડિપાર્ટમેન્ટલી કામ કરાવવુ' એમ મે' જણાખ્યું. મારા સાથીએ તેમ કરવા કબૂલ થયા. જે કામ થયેલું હતુ. તેના ખર્ચ રૂ. ૬૧૦૦,૦૦ થઈ ચૂકયો હતા, છતાં અમે તે કામ રદબાતલ કરો નવુ કરાવવાનું શરૂ કર્યું. આ કામ જૂના કામને અનુરૂપ હતુ, જેથી ચાલુ રાખ્યું. જીર્ણોદ્ધારનું કામ સને ૧૯૩૪માં શરૂ થયુ અને ૧૧ વર્ષ કામ ચાલ્યુ, અને તેમાં રૂ. ૪,૭૦,૦૦૦.૦૦ (ચાર લાખને સિત્તેર હજાર)ના ખર્ચ થયા. મિ. એટલીએ આવીને જ્યારે એ કામ જોયુ ત્યારે તેમણે પૂરા સાષ વ્યક્ત કર્યાં, એટલુ જ નહીં, પણ આવું સારું કામ કાઈ કરી શકત નહીં તેમ સિક્રેટ પશુ આપ્યું. મુખ્ય દેરાસરના ચામુખજી ભગવાનનું આરસનુ પરિઘર તદ્દન ખવાઈ ગયેલુ* હતુ, જે નવેસર કરાવ્યું અને જૂનુ' પરિઘર મંદિરની બહાર દક્ષિણ બાજુએ ઊભુ` કરી રાખેલ છે, એ પણ જૂના સ્થાપત્યની કળાના નમૂના છે. ” (૨) શ્રી આયુ તીથ :— આ રીતે શેઠ શ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રમુખપદ નીચે જીર્ણોદ્ધારની શરૂઆત એક મહાન, પ્રાચીન અને કળામય તીર્થના જીર્ણોદ્વારથી થઈ હતી. આ પછી આખુ તી ના વહીવટ, પેઢી હસ્તક નહી. હાવા છતાં, એની સમૃદ્ધ શિલ્પકળાની સાચવણીની દૃષ્ટિએ એના નમૂનેદાર જીર્ણોદ્ધાર પણ શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ જ કરાવ્યા હતા. આ અંગે શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈએ પેાતાના તા. ૭-૩-૭૬ના નિવેદ્યનમાં ( પૃ. ૧૪થી ૧૬માં) જે રજૂઆત કરી હતી તે અહી ઉષ્કૃત કરવામાં આવે છે. દેલવાડાનાં મદિરા દેલવાડાનાં આપણાં મદિરા જગવિખ્યાત છે અને તેમાં ઘણી ભાંગતાડ થયેલી હાવાથી તેના જીર્ણોદ્ધાર કરાવવા જરૂરી છે એમ અમે વિચાયું. તેના વહીવટ શિરાહીના ટ્રસ્ટીએ કરે છે. તેમની સાથે કરાર કર્યો કે જે જીર્ણોદ્ધાર આપણે કરીએ તેમાં તે ** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy