SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્વિધ સંઘની ભક્તિ થા અનુકાદાન ૧૮૭ શ્રાવક-શ્રાવિકાના ખાતામાંથી રૂ. ૨, દર મહિને મદદ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. - સને ૧૯૧૧ માં ભાવનગરના શા. કુંવરજી આણંદજીએ તે તરફનાં ૯૮ ગામનાં ૫૬૦ ઘરને મદદ આપવા લાયક બતાવ્યાં તેમને મદદ તરીકે રૂ. ૫૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૧માં શ્રાવક-શ્રાવિકા ખાતે રૂ. ૫૦૦૦ મંજૂર કરવામાં આવ્યા. – સને ૧૯૧૨ માં ધંધુકા તાલુકામાં સીજાતા જૈનોને મદદ કરવા રૂ. ૩૭૫ વકીલ ડાહ્યા ભાઈ પ્રેમચંદને આપવાનું કરાવવામાં આવ્યું હતું. – સને ૧૯૧૨ માં દુષ્કાળ અંગે સજાતાં શ્રાવક-શ્રાવિકાને મદદ આપવાને સારુ રૂ. ૧૦૦૦) પાલણપુરથી મારવાડમેવાડ માટે મંજૂર થયા, રૂ. ૫૦૦૦ પાટણ, રાધનપુર, વીરમગામ ત્થા ભાવનગર–શેઠ કુંવરજી આણંદજીએ આપેલાં ગામ સિવાયના કાઠિયા વાડના ભાગને, રૂ. ૫૦૦૦/ બીજા પરચુરણ ગામને સારુ મંજૂર કરવામાં આવ્યા હતા. – સને ૧૯૧૨ માં રૂ. ૩૦૦૦/ સીજાતા શ્વેતાંબર જૈનોને મદદ કરવાને સારુ શા. કુંવરજી આણંદજીને મોકલવાનું ઠરાવવામાં આવ્યું હતું. – સને ૧૯૧૩માં કાઠિયાવાડમાં થયેલી અતિવૃષ્ટિને કારણે કેટલાંક ગામને ભારે નુકસાન થયું છે. તે માટે તેવા ગામમાં જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક લોકોને મદદ માટે શ્રાવક-શ્રાવિકા ખાતામાંથી રૂ. ૧૦,૦૦૦ આપવાને ઠરાવ કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૩માં ચુણેલના શાહ સામલદાસ ભુરાભાઈએ ચુણેલની આસપાસના વિસ્તા રમાં શ્રાવકોને સહાય કરવા માટે રૂ. ૧૦૦૦ની મદદની કરેલ માંગણી મંજૂર કર વામાં આવી હતી. – સને ૧૯૧૩માં પાલીતાણાના માજી કિલીદારના દીકરાની વિધવા ત્થા દીકરાના દીકરાની વિધવાને તા. ૧-૧-૧૪ થી શ્રાવક-શ્રાવિકા ખાતે લખીને રૂ. ૫/ બાર માસ માટે આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૪માં પ્લેગમાં ગુજરી ગયેલા અમથાલાલ કરમચંદની વિધવાને નાના દીકરાને ભણાવવા માટે દર માસે રૂ. ૫/ એક વર્ષ સુધી શ્રાવક-શ્રાવિકા ખાતેથી આપવા અને પ્લેગમાં નેકરી બજાવી છે તે માટે રૂ. ૧૫ એલાઉન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. – સને ૧૯૧૬ માં સાવરકુંડલાના રહીશ ખાખરા નથુ કમલશીને શ્રાવક-શ્રાવિકા ખાતે લખી રૂ. ૧૦/ મદદ તરીકે આપવાની મંજૂરી આપવામાં આવી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy