SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાંક માદશાહી ફરમાને ૧૫૭ ' નોંધ:—ઉપર આપેલ પાંચ ક્રમાના સાર સૂરિશ્વર અને સમ્રાટ ' પુસ્તકમાં આપવામાં આવેલ તે તે ફરમાનાનાં ગુજરાતી અનુવાદને આધારે આપવામાં આવ્યા છે. તેની સાભાર નોંધ લેવામાં આવે છે. કે. કામિસરીએટનાં પુસ્તકામાંના ફરમાનો :-- ખાન બહાદુર પ્રા. એમ. એસ. કેામિસરીએટે “ Imperial Mughul Farmans in Gujarat” નામે એક પુસ્તક સને ૧૯૪૦માં પ્રગટ કર્યું " હતું. મૂળભૂત રીતે આ પુસ્તક આખું મુંબઈ યુનિવર્સિટીના જર્નલમાં પહેલાં છપાયું હતુ તેનું આ પુમુદ્રણ છે. આ પુસ્તકમાં કુલ એકવીસ ખાદશાહી ફરમાનની છમ્મીએ તથા તેનું અંગ્રેજી ભાષાંતર આપવામાં આવ્યુ` છે, (મારી યાદ સાચી હેાય તેા પ્રેા. કામિસરીએટે આ વિષય અંગેનાં વ્યાખ્યાના ઠક્કર વસંતજી માધવજી વ્યાખ્યાનમાળા 'માં આપ્યાં હતાં.') આ પુસ્તકમાં આપવામાં આવેલ ૨૧ ફરમાનેામાંના મોટા ભાગનાં ફરમાના નગરરોઢ શ્રી શાંતિદાસ ઝવેરી સાથે સબંધ ધરાવે છે. કેટલાક ફરમાના ખીજી વ્યક્તિને અનુલક્ષીને આપવામાં આવ્યાં હાય એમ લાગે છે. આ બધાં કુમાનેા જૈન સંધની મુગલ દરબારમાં કેવી લાગવગ હતી તેના નિર્દેશ કરે છે એટલે એ વીસમા સિવાયનાં બાકીનાં બધાં, ફરમાનાના સાર અહીં આપવા ચિત લાગે છે. ફરમાન−૧ ધર્મની આરાધના અંગે નુરુદ્દીન માહુંમદ જહાંગીર મદશાહે ગાઝીનું ફરમાન તુગરા :અખ઼ુલ મુઝફ્ફર નુરુદ્દીન માહંમદ જહાંગીર બાદશાહે ગાઝીનું ફરમાન. મહેાર ઃ—નુરુદ્દીન માહંમદ જહાંગીર બાદશાહે ગાઝી. નાજી અને વિજયદેવસૂરિના ચેલા વિવેકહું જયાનંદ તિ મગલમય દરારમાં એક એવી વિનંતી લઈને ઉપસ્થિત થયાં કે પ્રભુની પૂજા અર્ચના સિવાય જેમને ખીન્ન કશામાં રસ નથી વા સદાચારી જૈન સાધુ મળે એક ફરમાન બહાર પાડવામાં આવે. એવા તેથી આ જગતમાન્ય જહાંગીરી ફરમાન બહાર પાડવામાં આવે છે કે સુરક્ષિત રાજ્યના અધિ કારીઓ, કારભારીઓ, જાગીરદારો, મુત્સદ્દીઓ, સરકારી કામકાજના વહીવટદાર આ કામમાં અડચણ કે હરકત ન કરે અને મનની સ`પૂર્ણ શાંતિથી એમને ભક્તિ અને કિર્તનમાં પરાવાયેલા રહેવા દે જેથી કરીને તેઓ ભવ્ય અને પવિત્ર રાજ્યનુ' અમરત્વ તેમજ અનંત સામ્રાજ્યની કિતી અને પ્રતિષ્ઠા પ્રાતા રહે. આ ફ્માનની વિરુદ્ધ વર્તવું નહી, તેમજ તેનું ઉલ્લંધન કરવું નહી”, તથા એને તાકીદનું ગણવું. તા. ૨ અમરદાદ માહે ઈલાહી. રાજ્યાભિષેકનુ ૧૧ મું વર્ષી. પાછળના ભાગ ૨૪ માહે બહુમન, ઈલાહી વર્ષ ૧૦ એટલે કે શનિવાર તા. ૨૪ મેહરમ હિ. સ. ૧૦૨૨ (ઈ. સ. ૨ ફેબ્રુ. ૧૬૧૬)ની યાદ્દાસ્તમાંથી ઉતારા. ખ્વાન ઈબ્રાહીમ હુસેનની ચાકી દરમ્યાન જે કૃપા અને મહેરબાનીને પાત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy