SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ શ્રી શત્રુંજય મહાતીથને લગતાં કેટલાંક મહત્ત્વનાં કાર્યો એની પ્રતિષ્ઠા કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ માટે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજે વિ. સં. ૨૦૩રના મહા સુદી સાતમ, તા. ૭-૨-૧૯૭૬ શનિવાર સવારના ૮ કલાક, ૩૬ મિનિટ અને ૫૪ સેકંડનું મુહૂર્ત કાઢી આપ્યું હતું. આ રીતે પ્રતિષ્ઠા કરવાને નિર્ણય કર્યો પછી બે મહત્ત્વના નિર્ણય કરવાના હતા. એક તે, પ૦૪ જેટલાં જિનબિંબને પ્રતિષ્ઠિત કરવાના આદેશ આપવા; અને બીજું દસ દિવસ માટે જવામાં આવેલ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે બધી જાતની વ્યવસ્થા સચવાય એવી ગોઠવણ કરવી. પ્રતિષ્ઠાના આદેશે આ રીતે આપવામાં આવ્યા હતા. (૧) સાત જિનબિંબ પિતાના પૂર્વજોએ પ્રતિષ્ઠિત કર્યાનું જે વારસદારોએ પૂરવાર કર્યું હતું તેને નકારે લીધા વગર પ્રતિષ્ઠા કરવાનો આદેશ આપવામાં આવ્યા હતા. . (૨) મુખ્ય જિનાલયમાં પધરાવવામાં આવનાર મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાન ‘તથા બીજા છ જિનબિંબની પ્રતિષ્ઠા કરવાના આદેશ મહોત્સવ હેરમ્યાન ઉછામણ બેલીને આપવામાં આવ્યા હતા. - (૩) બાકીના પૈ જિનબિંબ પધરાવવાને લાભ નીચે મુજબ ચાર પ્રકારના નકરાથી (ચિઠ્ઠીઓ ઉપાડીને) આપવામાં આવ્યું હતું (i) એકાવન દેરીઓમાં મૂળનાયક પધરાવવાને આદેશ રૂા. ૨૫૦૧ થી આપવામાં આવ્યું હતું. (આ આદેશ જેમને પ્રાપ્ત થયો હતે તેઓની પાસેથી ધજા દંડ-કળશ ચડાવવાને નકારે રૂા. ૧૦૦૧- લેવામાં આવ્યો હતે.) (i) એકાવન દેરીઓમાં બિરાજમાન કરવાની કુલ ૨૪૪ અન્ય પ્રતિમાજીઓને પધરાવવાને આદેશ એક પ્રતિમા દીઠ રૂા. ૧પ૦૧-૧ના નારાથી આપવામાં આવ્યું હતું. (ii) શ્રી નવા આદેશ્વર, શ્રી સીમંધર સ્વામીજી, શ્રી પુંડરીક સ્વામીજી તથા ગંધારિયાજીનાં દેરાસરોમાં ૧૮ મુખજીએ, એટલે કે ઉર પ્રતિમાઓ બિરાજમાન કરવાના આદેશ એક પ્રતિમાના રૂ. ૧૦૦૧-/ના નારાથી આપવામાં આવ્યા હતા. . (iv) દાદાના મુખ્ય દેરાસરના ઉપરના ખલાઓમાં ૧૦૦, શ્રી ગધારિયાના : દેરાસરના ગોખલાઓમાં ૨૨. અને જૂની ભમતિમાં એક-એમ કુલ ૧૨૩ પ્રતિમાજીએ બિરાજમાન કરવાના આદેશો દરેક પ્રતિમા દીઠ રૂા. ૨૫ના * નકરાથી આપવામાં આવ્યા હતાં. " . આ રીતે લાપજ પ્રતિમાજીએ બિરાજમાન કરવાના આદેશ અપાઈ ગયા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001058
Book TitleSheth Anandji Kalyanji Pedhino Itihas 2
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherAnandji Kalyanji Pedhi
Publication Year1986
Total Pages403
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy