SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્માસ ઘેાડીવાર એ તાપસને નીરખી રહ્યા. પછી એમણે જોયું કે તાપસનું કાયાનુ કષ્ટ ખરેખરું અપાર છે; પણ એમાં વિવેકની—સારાસારના વિચારની-ખામી છે. અને વિવેક ન હાય તે ગમે તેવી ઉગ્ર અને કષ્ટદાયક તપસ્યા પણ આત્માના ઉદ્ધાર કેવી રીતે કરી શકે? ૧૮ 1 પછી કુમારે તાપસને કહ્યું : ‘ મહાનુભાવ ! તપ કે જય ગમે તેટલાં કરીએ, અને દેહનાં કષ્ટા પણ ગમે તેટલાં સહન કરીએ, પણ એમાં વિશ્વમૈત્રીને, વિશ્વના સમસ્ત જીવેા પ્રત્યેના પ્રેમ અને કારુણ્યને ઘાત ન થવા જોઈ એ; ઊલટુ' એથી તે! સર્વ પ્રાણીઓ પ્રત્યે અવૈરની લાગણી જન્મવી જોઈ એ. અને આવે! અગ્નિ પ્રગટાવીને આવુ પંચાગ્નિ તપ કરવામાં તે તમારા હાથે, ભલે અજાણતાં પણ, ઘણી હિંસા થઈ રહી છે. અને હિંસા તે। અવેરની વિરાધી છે. સંસારમાં ખરે મહિમા તા અવેરને, અહિ સાના કે મૈત્રીભાવના છે; અને તમારુ ' તપ તા ઊંધી દિશામાં જઈ રહ્યુ છે; તમારું આ ઉગ્ર કસહન આત્મસાધના માટે નિષ્ફળ નીવડવાનું છે; માટે સયુ આવા વિવેકશૂન્ય, અજ્ઞાનભર્યા અને હિંસાજનક તપથી ! જ્યાં હિંસા થાય ત્યાં જન્મજન્માંતરનાં વેરનાં મૂળ ન ંખાયા વગર કેમ રહે? અને તે તે આત્માની અધોગતિ જ થાય ને? પરંતુ આ ચેાગી તે ભારે નામનાવાળા ! એના * ઉગ્ર તપની કીતિ ચામેર ફેલાઈ ગયેલી. ‘એટલે એવા તાપસ એક ઊછરતા યુવાનની આવી વાત કાને ધરે એ કેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy