SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયશ્ચિત્ત પ૯ તો શું કહું ? પણ હજી પણ તમે મારી વાત માનવા તૈયાર હો તો મારે તમને એટલું જ કહેવાનું છે કે હવેથી આપણા કુળની કીર્તિને કલંક લગાડે એવું એક પણ કામ ન કરજો, અને કુળનું નામ ઊજળું થાય એ માટે હંમેશા જાગતા રહેજો ! અને બને તો કોઈના ભલાના ભાગીદાર બનજો, પણ કોઈના ભૂંડામાં કદી સાથીદાર ન બનશો !" પુત્રો પિતાની વાત મૂક અને મૂઢ બનીને સાંભળી રહ્યા. સૌની વાણી જાણે હરાઈ ગઈ હતી. પછી તો પરિચારકો અને પુત્રોની કોઈ વિનંતી કામ ન લાગી, અને વયોવૃદ્ધ મહારાજા યોગરાજજીએ અન્નજળનો ત્યાગ કરીને અને ચિતામાં પ્રવેશ કરીને પોતાની જાતનું બલિદાન આપ્યું અને પુત્રોએ કરેલા દોષ માટે પોતાનું પ્રાયશ્ચિત્ત પૂરું કર્યું ! સૌ એ પ્રાયશ્ચિત્તની ચિતાની ભસ્મને વંદન કરી રહ્યા, એને લલાટે લગાડીને પાવન થયા. પ્રાયશ્ચિત્તની ચિતાની એ શુભ્ર ભસ્મ ચાવડા વંશના નામને ઊજળું બનાવ્યું.. રાજા યોગરાજજીનું એ બલિદાન અને એ પ્રાયશ્ચિત્ત અમર બની ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy