SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સતના રખેવાળ [ ૨૦૭ કામણ કર્યું હતું. મને થયું, મુંબઈમાં આવ્યો છું તો શેઠજીનાં દર્શન કરતો જાઉં. મકાન શોધીને હું એમને ત્યાં પહોંચ્યો. શેઠજી તો તે વખતે ન મળ્યા, પણ શેઠાણીજી સાદાં સફેદ વસ્ત્રો પહેરીને ચરખો કાંતતા બેઠાં હતાં ! હું તો વિચારમાં પડી ગયો કે આ તે સ્વપ્ન કે સત્ય ! ક્યાં હીર-ચીરનાં કીમતી વસ્ત્રો ને સોના-ઝવેરાતનાં અમૂલ્ય ઘરેણાં પહેરનારાં એ વખતનાં શેઠાણી અને ક્યાં અત્યારે સાદાં વસ્ત્રો પહેરીને રેંટિયો કાંતતાં આ શેઠાણીજી ! મારું અંતર ગદ્ગદ થઈ ગયું ! છેલ્લે ૧૯૩૧નો, શેઠના સમગ્ર ધર્મજીવનના સારરૂપ એક પ્રસંગ કહીને આ કથા પૂરી કરું. નુકસાની એટલી મોટી હતી કે બધુંય આપી દેવા છતાં એનું તળિયું ઊણું ને ઊણું જ રહેતું. ‘ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચની જેમ હજી પણ કેટલાંક ચાંદીનાં વાસણો અને કીમતી રાચ-રચીલાં બચી ગયાં હતાં. લેણદારની ઉપાધિમાં જ એક વાર શેઠ આગ્રા આવ્યા હતા. એ દિવસમાં હું શેઠના જ્ઞાનમંદિરમાં ક્યુરેટર તરીકે નોકરી કરતો હતો. એક ભાઈએ આવીને શેઠને કહ્યું : “શેઠજી, આપના અમુક લેણદાર જમી લાવવાના છે એવી વાત સાંભળી છે. તો આ ચાદીના વાસણ અને બીજો કીમતી સમાન આઘોપાછો કરી નાખીએ તો ?” શેઠે જરાય ખમચાયા વગર તરત જ જવાબ આપ્યો : “અરે ભાયા ! લેણદારનું લેણું તો ઘર અને માલ વેચીને, મહેનત અને નોકરી કરીને પણ, આપી દેવું જોઈએ. છો ને આવીને જે જોઈતું હોય એ ખુશીથી લઈ જતા – આપણો ભાર એટલો ઓછો ! આમાં અકળાવાની કે સામાન આઘોપાછો કરવાની કશી જરૂર નથી. કર્મમાં લખ્યું હોય એ થયા કરે, પણ આપણે આપણી બુદ્ધિને બગડવા ન દઈએ.” જમી લાવવાની તો કોઈની જિગર ન ચાલી, પણ આ પ્રસંગે શેઠની સચ્ચાઈની, ન્યાય-નીતિ અને પ્રામાણિકતાની એક વધુ અગ્નિપરીક્ષા કરી બતાવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy