SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ઘેરાગ અને વિરાગ વિઘ્ન સમજવાં ! કૃપા કરો, અને મને આ ઉપાધિથી અળગો રહેવા દઈને મારી સાધના કરવા દો ! આગ સાથે ખેલ ખેલવાનું કે નદીના સામે પ્રવાહે તરવાનું મારું ગજું નથી. " " પણ મંત્રીશ્વરની વાતનો છેવટે એમને સ્વીકાર કરવો પડ્યો. વયોવૃદ્ધ મુનિવર શત્રુંજયના વહીવટ ઉપર દેખરેખ રાખવા પાદલિપ્તપુર પહોંચી ગયા. જાણે એ દિવસે ત્યાગ અને ભોગની સ્પર્ધાનો આરંભ થયો. વયોવૃદ્ધ મુનિવર પોતાના સંયમમાર્ગથી જરા ય વિચલિત થતા નથી. ત્યાગ, તપ અને તિતિક્ષાને અખંડ રાખવા એ રાત-દિવસ જાગતા રહે છે. એમને માટે તો કાજળની કોટડીમાં પુરાઈને કલંક વગર બહાર આવવા જેવું આકરું આ કામ હતું. અને મન તો હજી ય માનતું ન હતું. ક્યારેક ક્યારેક એ ચિંતામાં પડી જતા ઃ રખેને દેવના દ્રવ્યનું રક્ષણ કરવાની ઉપાધિમાં મારા આત્માનું દ્રવ્ય લૂંટાઈ ન જાય ! પણ હવે શું થાય જવાનો તો કોઈ અવકાશ જ ન હતો. છે. ગુરુની આજ્ઞા હતી જે! કામ મૂકીને પાછા મુનિ તો બનતી સાવધાની રાખીને પોતાની ફરજ બજાવતા રહે પણ આ તો દારૂ અને અગ્નિને સાથે રાખવા જેવો ખેલ હતો : જરા ય ચૂક્યા કે સર્વનાશ થતાં વાર ન લાગે ! પણ તીર્થભૂમિનો વહીવટ સુધરતો ચાલ્યો. દેવદ્રવ્યનું બરાબર જતન થવા લાગ્યું. એમાંથી પોતાનો સ્વાર્થ સાધનારના હાથ હેઠા પડ્યા. એવા બધાને તો એમ જ થયું : આ તો આપણું ઘીનું કૂડલું હરાઈ ગયું ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy