SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઘેરાગ અને વિરાગ કામણ કરી ગઈ. એમણે વિચાર્યું : શત્રુંજયના વહીવટ માટે આવો જ કોઈ નિઃસ્પૃહીં માનવી જાય તો ? જેને મન ધન ઢેફા જેવું અને સંપત્તિ તણખલાની તોલે હોય ! તો એ મહાતીર્થનો વહીવટ આદર્શ બની જાય, દેવધનનો નાશ અટકી જાય, અમારા માથેથી મોટી ચિંતા દૂર થઈ જાય અને શ્રીસંઘ એ આશાતનામાંથી ઊગરી જાય ! — પછી મહામંત્રીએ પોતાના મનની વાત પોતાના ગુરુ પાસે રજૂ કરતાં કહ્યું : ગુરુદેવ, દેવધનનો વિનાશ થતો હોય તો એની ઉપેક્ષા કરવી સારી કે એની રક્ષા માટે પ્રયત્ન કરવો સારો ? ” 46 પ્રશ્ન સાવ સીધો અને સરળ હતો, અને ગુરુને મહામંત્રીના મનની વાત જાણવી હજી બાકી હતી. ગુરુએ તરત જ કહ્યું : મહાનુભાવ, આવો પ્રશ્ન તે વળી પૂછવાનો હોય ? દેવધનની તો પ્રાણ આપીને પણ રક્ષા જ કરવાની હોય ને ?” k તો ગુરુદેવ, મારી એક વિનંતી ધ્યાનમાં લેવા કૃપા કરો. ” ગુરુ અને મુનિવરો કુતૂહલથી વિચારી રહ્યા : આમાં વળી વિનંતી કરવા જેવું શું હશે ? ગુરુએ કહ્યું : “ જે હોય તે ખુશીથી કહો. ” ' મહામંત્રીએ કહ્યું : “ મહાતીર્થ શત્રુંજયનો વહીવટ કથળી રહ્યો છે. જે આવે છે તે એના દેવધનનો ભક્ષક બનીને પોતાની જાતને અને તીર્થને નુકસાન કરે છે. આ દોષ સત્વર દૂર કરવાની જરૂર છે. અને એમાં મને આપની સહાયની જરૂર છે. " વિજયસેનસૂરિ વિમાસી રહ્યા : આ કામ તો ગૃહસ્થોનું; એમાં વળી અમે શું સહાય કરી શકવાના હતા ? પણ મંત્રી વસ્તુપાળ વિચારીને બોલનાર શાણા પુરુષ હતા, એટલે એમની વાત અર્થ વગરની તો કેમ હોય ? : વસ્તુપાળે મુખ્ય વાત તીર્થાધિરાજના વહીવટ માટે ધર્મભાવનાશીલ માણસ મળે તો જ કામ ચાલે એમ છે. અને આ માટે સ્પષ્ટ કરતાં કહ્યું પ્રામાણિક, નીતિપરાયણ અને ગુરુદેવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy