SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવનાનાં મૂલ [ ૧૪૭ પર્વતના બધા માર્ગો વિશાળ માનવસમૂહના સંચારથી સાંકડા બની ગયા. જ્યાં નજર નાંખો ત્યાં પાષાણની કેડીઓના બદલે માનવીઓની કેડીઓ રચાઈ ગઈ. એમાં બાળકો ય હતાં અને વૃદ્ધો ય હતા; સાધુસંતો પણ હતા અને ધનપતિઓ ય હતા. પુરુષોય હતા અને સ્ત્રીઓ પણ હતી. ભગવાનના દરબારમાં તો સૌ સમાન હતાં. ત્યાં મૂલ હતાં ભાવનાનાં ને મહિમા હતો ત્યાગનો. ત્યાં સંપત્તિની શોભા ત્યાગમાં લેખાતી અને વૈભવની શોભા વૈરાગ્યમાં અંકાતી. મહામંત્રી વસ્તુપાળ સંઘ સાથે યુગના આદિ પુરુષ દેવાધિદેવ, આદિનાથના દરબારમાં આવી પહોંચ્યા. મંત્રીશ્વરે આંસુભીની આંખે પરમાત્માનાં દર્શન કર્યા, અને લાગણીભીના સ્વરે મહાપ્રભુની સ્તુતિ કરી. મંત્રીશ્વરની ભાવના સમસ્ત સંઘના હૈયાને સ્પર્શી ગઈ. સૌ ગદગદિત બનીને એક બાજુ ધર્મનાયક જિનેશ્વર અને બીજી બાજુ ધર્મપ્રાણ મંત્રીશ્વરને નીરખી રહ્યાં. પળવાર ત્યાં સ્તબ્ધતા છાઈ રહી. પોતાની ભાવનાની સિદ્ધિની પળે મંત્રીશ્વરનું અંતર હર્ષાતિરેકથી ઊભરાઈ ગયું. એમનાં નેત્રો પ્રભુચરણને આંસુનો અભિષેક કરી રહ્યાં. ધન્ય, પ્રભુ ધન્ય ! એમનું અંતર પ્રભુના જયનાદથી ગુંજી ઊઠ્યું. મંદિરનો વિશાળ ઘુમ્મટ ભગવાન આદીશ્વરના જયનાદથી ભરાઈ ગયો. એ જયનાદના પડઘા ગિરિરાજનાં ઇંગે શૃંગે ગાજી ઊઠ્યા. પછી તો મહામાત્ય વસ્તુપાળ, તેજપાળ અને સૌ શ્રેષ્ઠીઓએ અને ગૃહિણીઓએ પ્રભુના ચરણે હીરા, માણેક, મોતી અને સુવર્ણના આભૂષણો ભેટ ધર્યા, અનુપમાદેવી અને લલિતાદેવીએ પણ મહામૂલી ભેટો ધરી પોતાના જીવનને કૃતાર્થ કર્યું. ' પ્રભુચરણે ભાવભરી ભેટ ધરનારાઓનો ત્યાં એક પ્રવાહ વહી નીકળ્યો. ત્યાં આઘે આઘે એક નારી ઊભી હતી. મંત્રી વસ્તુપાળના ઘરની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy