SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ રાગ અને વિરાગ વસ્તુપાળના અંતરમાં આ વાત વસી ગઈ. તેજપાળ તો અનુપમાના આવા નિર્લોભી શાણપણથી રાજીરાજી થઈ ગયો. હવે ધનને ધરતીમાં ભંડારવાની વાત ન હતી. એમને ખાતરી થઈ કે આપણા ધનનું શું થશે કે એને કોઈ લૂંટી લેશે, એની ચિંતા કરવાની જરૂર નથી. ભાગ્ય અત્યારે પાંશ છે. અને એ ધનથી શત્રુંજય અને ગિરનાર ઉપર અનેક મનોહર મંદિરોની રચના કરવામાં આવી. માતા, પિતા અને ભાઈ માદેવનાં નામ અમર બની ગયાં. * ધવલપુર (અત્યારનું ધોળકા)ના રાજા વીરધવલ પાસે પુરોહિત સોમદેવનું ભારે માન. રાજાને જરૂર પડે ત્યારે એ આ પુરોહિત પાસે પોતાનું હૈયું ઉઘાડું મૂકે. છેલ્લાં કેટલાંક વરસથી રાજ્ય મુસીબતમાં સપડાયું હતું, સામંતો ગાંઠતા નહોતા અને ઘરમાં પણ કંકાસ જાગ્યો હતો. શું કરવું એ રાજા વીરધવલને સમજાતું ન હતું. એમાં વસ્તુપાળ અને તેજપાળ યાત્રા કરીને પાછા ફરતા ધવલક્કપુરમાં આવી પહોંચ્યા. એમને પોતાનું ભાગ્ય અજમાવવા માટે આ નગર ગમી ગયું, અને એ ત્યાં રોકાઈ ગયા. ધીમે ધીમે સોમદેવ સાથે એમને ઓળખાણ થઈ. અને પછી તો એમની વચ્ચે મિત્રતાની ગાંઠ બંધાઈ ગઈ. એ બંને ભાઈઓની ચાણક્ય જેવી બુદ્ધિ જોઈને એક વાર સોમદેવને થયું; રાજ્યની લગામ આ બે બંધુઓને સોંપવામાં આવે તો બધી બાજી ઠેકાણે આવી જાય. પુરોહિતે રાજા વીરધવલને વાત કરી. વીરધવલને એ વાત ગમી ગઈ. પછી સોમદેવે તેજપાળને પૂછ્યું તો એણે વિચાર કરીને જવાબ આપવાનું કહ્યું. 20% તેજપાળે અનુપમાને વાત કરી તો એણે સલાહ આપી : આ તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001053
Book TitleKathasahitya 4 Ragvirag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages266
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy