SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ અક્કલ-હોશિયારીનો ઉપયોગ કરીને ધન ભેગું કરો. દુનિયાનાં દુઃખોને દૂર કરવાનો સો દર્દીના એક જ ઇલાજ જેવો ઇલાજ છે પૈસો. પૈસો હશે તો પરમેશ્વર પણ રાજી થશે.' "" દીકરાઓએ કહ્યું : પિતાજી, આપની વાત અમે બરાબ૨ સમજ્યા. આપ જરા ય ચિંતા ન કરશો. અમે ઘર બરાબર ચલાવીશું, અને એ માટે આપનું મન ભરાઈ જાય એટલું ધન કમાઈ લાવીશું. લક્ષ્મી તો આવડતની દાસી છે અને અમને અમારી આવડત ઉપર પૂરો વિશ્વાસ છે. આ દુઃખના દહાડા હમણાં વીતી ગયા સમજો !” સાત ભવ ૫૧ 66 મોટો દીકરો પાસેના જ ગામ ગયો. એના પિતાના કાકા એ ગામમાં રહેતા હતા. એ વયોવૃદ્ધ હતા, સુખી હતા, પણ મિજાજના ભારે કડક હતા. વાતવાતમાં એમને વાંકું પડતાં વાર ન લાગતી; અને મગજનો પ્યાલો ફાટતો ત્યારે સાતમે આસમાને પહોંચતો ! પણ પોતાના ભત્રીજાનો દીકરો ઘણે વખતે આવ્યો હતો, અને એની સાથે એને કશી લેવડદેવડ પણ ન હતી, એટલે એ વૃદ્ધ જને પોતાના એ પૌત્રને આવકાર આપ્યો, સારી રીતે જમાડ્યો, અને સૌના ખબરઅંતર પૂછ્યા. પેલાએ કહ્યું : “દાદા, મારા પિતાજીએ પોતાનો ભાગ માગવા મને અહીં મોકલ્યો છે. અમારો જે ભાગ હોય તે ઝટ અમને આપી દ્યો !” બસ, આ વાતથી જાણે બળતામાં ઘી હોમાયું. દાદા ક્રોધથી ધમધમી ઊઠ્યા અને ભારે આકરાં વેણ બોલવા લાગ્યા. એમણે કહ્યું : * અરે નાલાયક ! ભાગ કેવો અને વાત કેવી ! તારો બાપ ધર્મવિદ્યાને બદલે ઠગવિદ્યા ભણ્યો લાગે છે ! એક પાઈ પણ હું આપવાનો નથી ! Jain Education International પેલો છોકરો પણ આગની સામે આગ જેવો હતો. જાણે વજે વજ અથડાયાં ! એ તો કોપનો સાક્ષાત્ અવતાર બની ગયો; અને લાલ લાલ આંખો કરી, ન બોલવાના શબ્દો બોલ્યો – જાણે એ એનો દાર્દો જ ન હતો ! - પછી તો વાત ચડી મારામારીએ. એમાં પેલા વૃદ્ધના હાથે એ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy