SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુ અને પાતાળ એટલામાં ત્રણે લોકને અમુક હદ સુધી જાણવા-જોવા લાગ્યા. ભગવાન વાણિજ્યગ્રામમાં સમોસર્યા. આનંદ શ્રાવકની અંતિમ સંલેખનાની વાત સાંભળી ગુરુ ગૌતમ એમને સાતા પૂછવા ગયા. પણ એમને આટલું મોટું અવિધજ્ઞાન ઊપજ્યાનું સાંભળીને એમણે શંકા દર્શાવી કે ગૃહસ્થને આવું જ્ઞાન ન સંભવે. આનંદ શ્રાવકે પોતાને એવું જ્ઞાન ઉત્પન્ન થયાનું દૃઢતાપૂર્વક કહ્યું. ગુરુ ગૌતમે ભગવાન પાસે આવીને પોતાની શંકા પૂછી. " ભગવાને કહ્યું : “ગૌતમ, આનંદની વાત સાચી છે. તેં એક જ્ઞાનીના જ્ઞાનમાં શંકા કરીને એમની વિરાધના કરી, માટે તારે એમની માફી માગવી ઘટે ! ” ગુરુ ગૌતમ પ્રભુની આજ્ઞાને શિરે ચડાવી રહ્યા. ધન્ય પ્રભુનો અદલ ઇન્સાફ ! ૨૧ કોઈનો તિરસ્કાર ન કરો ! પદ્મપરાગ ૪૫ શ્રાવસ્તી નગરીમાં ભગવાનના ઘણા ઉપાસકો રહેતા. એમાં એક શંખ શ્રેષ્ઠી પણ હતા. તે ધનવાન અને તત્ત્વોના જાણકાર હતા. એમની સ્ત્રીનું નામ હતું ઉત્પલા. એક વાર ભગવાનની વાણી સાંભળી શંખ શ્રેષ્ઠીએ અને બીજા શ્રમણોપાસકોએ. પોષધનું વ્રત કરવાનું નક્કી કર્યું. પોષધવ્રત બે રીતે થતું : એક તો ઇષ્ટ જનને ભોજન વગેરે આપીને આહાર વગેરે લઈને અને બીજું પોષધશાળામાં ધ્યાનાદિ કરીને. Jain Education International શંખે પોષધ માટે ખાન-પાન તૈયાર કરવાનું કહ્યું; પરંતુ પછી એને થયું કે ખાઈ-પીને પોષધવ્રત કરવું એ બરાબર નથી. ત્યાગ અને ધ્યાનથી જ એ તપ આરાધવું ઘટે. અને પોતાની સ્ત્રીને પૂછીને એ રીતે જ એમણે એ વ્રત સ્વીકાર્યું. બીજા શ્રમણોપાસકોએ પણ પોષધવ્રત સ્વીકાર્યું હતું; અને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy