SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ અભિષેક કરો. પછી જ તમારા રાજવીની માગણીના સ્વીકાર-અસ્વીકારનો અમારાથી વિચાર થઈ શકશે. વાત ગમે તેવી હશે, એનો સંબંધ અમારી પોતાની સાથે હશે, તો પણ અમે એ સ્વસ્થતાથી સાંભળીશું અને એના ઉપર પૂરતી વિચારણા-મંત્રણા કર્યા પછી જ અમારે શું કરવું એનો નિર્ણય કરીશું. તમને એવી વાત રાજસભામાં કરવા માટે અમારું અભય છે; તમારો વાળ પણ વાંકો નહીં થાય. અને દૂતને તો રાજનીતિએ સદા સર્વદા અભય જ આપેલ છે.” દૂતે પોતાનો સંકોચ દૂર કરીને કહ્યું : “મહારાજ, અમારા રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતી ભારે રૂપ-ગુણ-સંપન્ન રાજકુમારી છે. યૌવનના ઉંબરે ઊભેલી અમારી રાજકુમારી અત્યારે તો રૂપ-રૂપનો અવતાર બની ગઈ છે. એમાં ય એનાં વિનય, વિવેક અને દાક્ષિણ્ય તો ભલભલાને હેત ઉપજાવે એવાં છે. અને એ અનેક વિદ્યા અને કળામાં નિપુણ બનેલ છે. એણે આપના પુત્ર કુમાર પાર્શ્વનાં વખાણ સાંભળ્યાં, અને એણે મનથી કુમાર પાર્શ્વની અર્ધાગિની બનવાનો સંકલ્પ કર્યો. કુમારી પ્રભાવતીના અંતરમાં કુમાર પાર્શ્વને વરીને જીવનને ઉજમાળ બનાવવાના કંઈ કંઈ કોડ ઊભરાય છે. રાજ કુમાર પાર્થ અને કુમારી પ્રભાવતીની જોડ તો દેવોને ય ઈષ્ય આવે એવી છે. એક શ્યામસુંદર નર, એક રૂપસુંદરી નારી! કેવી જુગલ જોડી ! સખીઓએ રાજકુમારીનો સંકલ્પ રાજા પ્રસેનજિત અને રાણી સ્વયંપ્રભાને નિવેદિત કર્યો. પોતાનો ભાર પોતાની પુત્રી જ ઓછો કરવા તૈયાર થઈ છે અને પોતાને સુયોગ્ય જમાઈ અને ઉત્તમ કુળ મળવાનાં છે એથી રાજા-રાણી ખૂબ રાજી થયાં અને કન્યાના વાગ્દાનની તૈયારી કરવા લાગ્યાં. રાજમહેલમાં અને નગરમાં બધે આ વાતથી આનંદ આનંદ પ્રસરી રહ્યો. હવે તો માત્ર મુખ્ય મંત્રીને મોકલીને આપની અનુમતિ મેળવવાની જ વાર હતી.” દૂત પળવાર થોભ્યો. રાજા અશ્વસેન અને સભાજનો દૂતનું કથન ઉત્સુકતાપૂર્વક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy