SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ર ૦ અભિષેક અને તેઓએ જાણે પોતાની આવી ઉદાર ભાવનાના મંદિર ઉપર સુવર્ણકળશ ચડાવતા હોય એમ, પજુસણના આઠ દિવસના બદલે બાર દિવસ કતલખાના બંધ રાખવાનું અને તીથમાં લેવાતો યાત્રિક વેરો બંધ કરવાનું ફરમાન પણ સૂરિજીને લખી આપ્યું. આજે તો બાદશાહનું અંતર કૃપણતાનાં કોઈ બંધન સ્વીકારવા તૈયાર ન હતું. આટલી ભિક્ષા ઓછી હોય એમ એમણે સૂરિજીને વિનંતી કરી : “આ તો બધું આપે જગતની અને જીવોની ભલાઈ માટે માગ્યું. પણ હવે આપ આપના પોતાના માટે કંઈક તો માગો !” ' સૂરિજીએ કહ્યું : “અકબરશાહ, જગતની ભલાઈમાં જ અમારી બધી ભલાઈ સમાઈ જાય છે, એટલે જગતની ભલાઈ સિવાય અમારે બીજું માગવાનું શું હોય ?” અકબર બાદશાહ સૂરિજીની નિર્મોહવૃત્તિને મનોમન વંદી રહ્યા. એમણે કહ્યું : “સાચે જ, આપ તો જગગુરુ છો !” ન સમ્રાટની ભક્તિનો મોહ કે ન નામનાની ઝંખના સૂરિજીને સ્પર્શી શક્યાં. કર્તવ્યનો સાદ થયો અને શ્રી હીરવિજયસૂરિજી, આકાશી વાદળીની જેમ, ગુજરાત તરફ વિહાર કરી ગયા અને પોતાની પાછળ, સમ્રાટની પ્રાર્થનાથી, શાંતિચંદ્ર ઉપાધ્યાયને મૂકતા ગયા. * શાંતિચંદ્ર ઉપાધ્યાય પણ મોટા વિદ્વાન અને પ્રભાવશાળી સાધુ હતા. સાથે સાથે એકસો આઠ અવધાનની સિદ્ધિ પણ એમણે મેળવી હતી. એમની પ્રેરણાથી પણ બાદશાહ અકબરે અનેક સુકૃત્યો કર્યા, કારણ કે, એ સંતપુરુષે પણ લોકોનું કલ્યાણ થાય એવાં કાર્યો કરવાની જ ભિક્ષા માગી હતી. કેટલાક વખત પછી તેઓએ પણ શ્રી હીરવિજયસૂરિજીની સેવા માટે ગુજરાત તરફ વિહાર કર્યો. પણ અકબરશાહને તો આવા શ્રમણોના સત્સંગનું અને એમની સાથે ધર્મચર્ચા કરવાનું તેમ જ એમની ધર્મવાણી સાંભળવાનું જાણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy