SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ “સાચું સાહિત્ય તો એ છે કે જે માનવીના ચિત્તને પ્રેરણા આપતું રહે છે અને પાશવી (આસુરી ) વૃત્તિઓથી એને દૂર રાખે છે. ભાતૃભાવ, સમાનતા અને શાંતિ જેવાં મૂલ્યોને પોષણ મળવું જોઈએ. અને આવી સંસ્કૃતિપોષક સમજણ મારફત વિશાળ દેશના જુદીજુદી જાતના લોકોને એકબીજાની નજીક લાવવા જોઈએ. આ કાર્ય સાહિત્ય મારફત જ સારી રીતે થઈ શકે.” આ વાર્તાઓમાં વાર્તાકલાનું તત્ત્વ હોવાનો દાવો મારાથી થઈ શકે એમ નથી એ હું જાણું છું, અને છતાં આ વાર્તાઓ લખવામાં મેં અલ્પાંશે પણ આનંદનો અનુભવ કર્યો છે – એટલું જણાવવાની રજા લઉં છું. જેમાં આધુનિક વાતકલાનું તત્ત્વ ઓછું હોય કે સમૂળગું ન હોય એવી ભાવનાશીલતા, માનવતા કે ઉદારતા-સહૃદયતાનું અથવા ત્યાગ, બલિદાન કે તિતિક્ષાનું દર્શન કરાવતી વાર્તાઓ વાંચનારો એવો પણ એક વાચકવર્ગ છે જ. જેમ જીવનનિર્વાહ માટેનું, તેમ જીવનને ટકાવી રાખવાનું બળ પણ મને માતા સરસ્વતીની કૃપાદૃષ્ટિમાંથી જ મળતું રહ્યું છે, એ હું સ્પષ્ટ રૂપે જોઈ શકું છું. (કથાસંગ્રહોની પ્રસ્તાવનામાંથી સંકલિત ) – રતિલાલ દીપચંદ દેસાઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001052
Book TitleKathasahitya 2 Abhishek
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year1994
Total Pages225
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy