SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ પર સમયદશી આચાય સમાજ બન્નેની પ્રગતિનુ” રૂંધન કરનારાં પરિબળામાં આ માન્યતાને હિસ્સા પણ બહુ મેટા છે. સાથે સાથે માનવસમાજનું એ સદ્ભાગ્ય પણ છે કે સમયે સમયે દી દર્શી અને સમયના પુરુષના સંસારમાં જન્મતા જ રહે છે. આવી વ્યક્તિ સમાજને પ્રગતિના માર્ગ બતાવીને અધગતિને માર્ગેથી પાછા વાળવાના પુરુષાર્થ કરતી રહે છે; એટલુ જ નહીં, કયારેક તા સમ ક્રાંતિકારી વીરા પણુ સમાજમાં પાકે છે. આવી દીદી', સમયની જાણકાર અને ક્રાંતિપ્રેમી વ્યક્તિએથી જ સમાજ ઊજળા અને શક્તિશાળી બને છે. તીર્થંકરાની ધર્મ પ્રરૂપણા માનવસમાજની ઉત્ક્રાંતિની જ એક ક્રાંતિકારી પ્રક્રિયા છે; અને એ પ્રશ્નયાનું સાતત્ય જાળવનારા યુગપુરુષા જૈન પર પરામાં સૈકે સેંકે આવતા જ રહ્યા છે, અને તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને પારખીને એને અનુરૂપ માદન આપતા જ રહ્યા છે. આચાર્ય શ્રી આત્મારામજી ( શ્રી વિજયાનંદસૂરિજી ) મહારાજ આ પરપરાના જ એક સમર્થ યેતિર્ધર યુગપુરુષ હતા. તેમના સુયા ઉત્તરાધિકારી આચાર્ય શ્રી વિજયવલ્લભસૂ રિજી મહારાજ પેાતાની દી - દૃષ્ટિ અને સમયજ્ઞતાથી ભાવીનાં એંધાણુ પારખી શકતા હતા; અને સમાજની વમાન ચિંતાજનક સ્થિતિનું સ્પષ્ટ ચિત્ર મેળવીને સમાજના ઉત્કર્ષ માટે શું કરવાની જરૂર છે તે પણ સમજી શકતા હતા. અને સમાજકલ્યાણને માર્ગ એક વાર સમજાઈ ગયા, એટલે પછી તેા તેએ એવા જાગૃત પુરુષ હતા કે નિષ્ક્રિય બનીને બેસી રહેવું એમને હરિંગજ મંજૂર ન હતું. સંઘ, સમાજ કે ધર્મને કમજોર કરનારી જે કંઈ ખામી હાય એને દૂર કરવાના દિલ દઈને પુરુષાર્થ કર્યાં વગર એમને નિરાંત ન થતી, રાગનું નિદાન થઈ ગયું અને એને દૂર કરવાને ઉપચાર સમજાઈ ગયા પછી એને! અમલ કરવામાં આળસ કેવી ? કુશળ વૈદ્યના આ જ નિયમ હેાય. આચાય શ્રી વિજયવલ્લભસૂરિજી જૈન સમાજના એક કુશળ સમયના વૈદ્ય હતા. કુસ'પને દૂર કરીને સંપ અને એકતા સ્થાપવાની હિમાયત, ધાર્મિક શિક્ષણ સાથે ઉચ્ચમાં ઉચ્ચ કક્ષા સુધીના શિક્ષણને પ્રાત્સાહન આપવાને અવિરત પ્રયત્ન અને સમાજના મધ્યમ અને ગરીબ વર્ગને ગૌરવપૂર્ણાંક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001051
Book TitleSamaydarshi Acharya
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherVallabhsuri Smarak Nidhi Godiji Jain Derasar Mumbai
Publication Year1979
Total Pages165
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy