SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦. પણ તેઓ પ્રતિષ્ઠા પૂર્વક જગતમાં જીવી રહ્યા છે, તે જ તેમની ખરી નેધ છે. પ્રધાન અને દેશના કાને વશ કરવા જેટલા મુશ્કેલ નથી, તેટલા આર્યસંસ્કૃતિ પ્રમાણે જીવનારાઓને જીતવા મુશ્કેલ છે. પરદેશીઓનું ધ્યાન તેમના ઉપરજ હેાય છે. બાકી પિતે ઉભા કરેલા સોગઠાઓને તે કયાં બેસાડવા અને ક્યાંથી ઉઠાવવા એ હસ્તગત વાત છે. કેમકે તેઓ વાસ્તવિક રીતે ગુલામ જ હોય છે. આજાદીઃ સ્વતંત્રતાની બૂમો પાડવા કરે, અને દેશમાં ઘુમ્યા કરે. પરદેશી તંત્ર પ્રજામાં કાયદા કાનુનોથી વધુને વધુ મજબૂત બન્યું જાય, ને પ્રજા આઝાદીની ખાટી ધુનમાં રહ્યું જાય, તેના જેવી સત્તા આગળ વધારવાની પરદેશીઓને બીજી મજા કઈ? આર્ય સંસ્કૃતિમાં માનનાર વર્ગને ખસેડીને કોંગ્રેસમેનેને પ્રધાન બનાવવાનો હેતુ આ ઉપરથી બરાબર સમજાશે. અને ત્યારપછી આ દેશમાં વસવાટ કરી રહેલા પરદેશી પ્રજાજનોને તેજ સ્થાનો સુખેથી આપી શકાય, અને તેઓ ધારાસભાઓને કબજે કરે, એટલે અહીં પાલોમેન્ટ અને સંપૂર્ણ-પરદેશી-પ્રજાકીય સંસ્થાનિક સ્વરાજ્ય. સારાંશ કે=ભારતીય પ્રજા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે છવનારી છે, અને રહેવાની, તેને પલટવાના અનેક પ્રયોગોમાં કોંગ્રેસ વિગેરેનું સ્થાન છે. આર્યસંસ્કૃતિની સામે જેમ પરદેશીઓ છે, તેમજ કોગ્રેસવાદીઓ છે. બનેય તેડવામાં એક સામટા સામેલ છે. કોગ્રેસમેનો તોડી રહે, એટલે તેઓ તે ઘેર બેસે, પરંતુ સત્તા તેનો લાભ લે. તોડવા ખાતર બળ કરવા માટે તેઓને પરદેશીઓ બળવાન અને કૃત્રિમ સત્તાધીશ બનાવે, એ સ્વાભાવિક છે. એ રીતે સત્તાધીશ બનાવાયેલા દેશીઓ, તે આજના પ્રધાને. જ્યાં સુધી પરદેશી પ્રગતિવાદનું જોર દુનિયા ઉપર રહેશે, ત્યાં સુધી આમ ચાલ્યા કરશે. પરંતુ પ્રાચીન ભારતના મહાત્માઓના પ્રતાપથી ત્રણ રત્નને આરાધનારા એકાદ બે પણ આખર સુધી નીકળ્યા કરશે, એટલે તેને વિજય જ છે. માટે જેન તત્ત્વજ્ઞાન ત્રણેય કાળ માટે સદા અબાધ્ય જ છે. કેમકેતેનો રત્નત્રયમય જીવન માર્ગ અબાધ્ય છે. તેમાં શંકાને સ્થાન છે જ નહીં. જુદા જુદા કાળક્રમે જુદા જુદા મગજના માણસો જુદી જુદી અને પિતાના વિજ્ઞાને ઉભાં કરે છે, પરંતુ વખત જતાં એ અદશ્ય થાય છે, અને મૂળ તત્ત્વજ્ઞાન જગતમાં ચાલુ રહે છે. જૈન દર્શનના ઈતિહાસની સાથે વખતોવખત ઘણું વૈજ્ઞાનિક પિતા પોતાની અસરે મૂકતા ગયા છે. તેમ આધુનિક વૈજ્ઞાનિકે પણ થોડું ઘણું પિતાનું મૂકતા જશે. અને એ શાંત થયે, પરિણામે મૂળ વસ્તુ જ કાયમ રહેશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001050
Book TitleDravya Gun Paryaya no Ras
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1938
Total Pages303
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy