SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેઓ ગણાય છે દેશનેતાઓ. તેનો અર્થ એમજ સમજ જોઈએ કે-આ દેશને વધુ પરતંત્ર કરવા માટેના નેતા, તે હાલના દેશનેતા. કેમકે–વિનાનની ગુલામી એ પણ ત્યાંની પ્રજાની ગુલામીજ છે. ઘરમાં ઈલેકટ્રીકની લાઈટ કરવાને સામાન ભલે દેશમાં બનેલો હોય, પરંતુ તેમાં થતી શોધની ગુલામી કાયમ માટે આપણી પ્રજાને તેમાં રાખી જ મૂકે. કેડીયામાં દીવો કેમ કરો ? એ બાબતમાં આપણે તેમને પૂછવું જ પડે તેમ નથી. પરંતુ ઇલેકટ્રીક દીવાની વપરાશમાં કાયમ એ દેશ જ આપણું આચાર્ય તરીકે રહેવાને જ. ગાડું બનાવવામાં આપણે વૈજ્ઞાનિક સ્વતંત્ર રહેવાનો. પરંતુ મેટર બનાવવામાં પરતંત્ર રહેવાને જ. પેટ્રોલથી ચાલતી મોટર આપણે અહીં બનાવીએ, ત્યાં બીજા કોઈ પાવરથી ચાલતી મોટર ત્યાં ઉત્પન્ન થાય, વેગ વધે, સગવડ વધે, એટલે વળી એ વિજ્ઞાન જાણવું પડે. જાણ્યા પછી અહીં બનાવી શકાય. તે પણ આપણે બનાવીએ, એટલે વળી એ આગળ વધે. પરિણામે આપણી ગુલામી વધતી જ જાય. માટે વિજ્ઞાનની પ્રતિષ્ઠા કરનારા આ દેશની પ્રજાનો મોટામાં મોટો અપકાર કરે છે. એ, બહુ જ સૂક્ષ્મતાથી સમજ્યા વિના સમજાય તેમ નથી. મી. સીટરીએ જે વાકય ઉચાર્યું છે, તેમાં આપણું જૈન વિજ્ઞાનની પ્રશંસા કરી છે. એમ આપણને ઉપર ઉપરથી દેખાય છે, પરંતુ વાસ્તવિક રીતે તેમણે પોતાની ગારાંગ પ્રજાની એ વાકય મારફત અભુત સેવા કરી છે. એ પણ સૂક્ષ્મતાથી સમજીશું તે જ સમજાશે. એ ઉત્તરાર્ધમાં એમ કહેવા માંગે છે કે “જેમ જેમ આધુનિક વિજ્ઞાન શોધાતું જાય છે, તેમ તેમ જૈન શાકથિત વૈજ્ઞાનિક ત સાબિત થતા જાય છે.” સારાંશ કે “ તમારે જેનેએ પણ તમારા શાસ્ત્રોની અંદરની વાતો સાબિત કરવી હેય, તે આધુનિક વિજ્ઞાનની શોધો આગળ વધારવામાં તમારે પણ ટકે આપ જોઈએ.” એ ભાવ ઉત્પન્ન કરીને-“આખા જગતમાં દીર્ધદષ્ટિ ભરી બુદ્ધિયુક્ત છે જેને વર્ગ છે, કે જેમાં મોટા ભાગ આધુનિક વિજ્ઞાન તરફ ઉદાસીન છે, તેમને જેટલે ભાગ આવી દલીલોથી પણ તેના તરફ ખેંચાઈ આવે તે ઠીક.” એ તેને ખેંચવાનો તેમાં પ્રયત્ન છે. એમ કહીને જેમાં પણ આધુનિક વિજ્ઞાનની પ્રતિષ્ઠા ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. આ તેના વાકયમાં ખુબી ભરેલી છે. ભલે-આધુનિક વિજ્ઞાન એ દેશની પ્રજાને આગળ વધારતું હોય, અને આપણને પાછળ પાડતું હોય, તે પણ એટલું તે. કબુલ કરવું જ પડશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001050
Book TitleDravya Gun Paryaya no Ras
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1938
Total Pages303
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy