SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧ પરંતુ તત્વજ્ઞાનનું-સ્વાદાદનું નિરુપણ સંપૂર્ણ સર્વજ્ઞ વિના થઈ જ ન શકે. જે જૈનદર્શનને વૈજ્ઞાનિક દર્શનને બદલે તત્ત્વજ્ઞાન દર્શન માનીએ તે તેના બતાવનારા સર્વજ્ઞ સિવાય સંભવી શકે જ નહી. સર્વ વિજ્ઞાને ધ્યાનમાં આવે, તેના સંબંધે ધ્યાનમાં આવે અને તે ઉપરથી જીવન માર્ગ સમજાય, ત્યારે તત્વજ્ઞાનનું સંપૂર્ણ પ્રતિપાદન કરી શકાય. એટલે સર્વ વિજ્ઞાનના અને તત્વજ્ઞાનના જ્ઞાતા તે જ સર્વજ્ઞ. એટલે કાં તે જગતમાં સ્યાદ્વાદ નથી, અનેક વિજ્ઞાને નથી, તત્વજ્ઞાન નથી, અને સર્વજ્ઞ પણ નથી; અને જે લાખો કરોડે વિજ્ઞાન હેય, અને તે સર્વને સમન્વય કરનારું તત્વજ્ઞાનશાસ્ત્ર હોય, અને તે સ્યાદ્વાદથી ગોચર કરાવનાર પણ હોય, તો અવશ્ય જગત્માં સર્વજ્ઞ સંભવિ શકે છે. એટલે કે-તત્ત્વજ્ઞાનને જાણનારા સિવાયને માત્ર વૈજ્ઞાનિકે સર્વજ્ઞ ન જઈ શકે. સર્વજ્ઞ હેય તે જ તત્ત્વજ્ઞાની હોઈ શકે, અથવા તે-તત્ત્વજ્ઞાની હોય તે સર્વજ્ઞ હેય જ. અને તેથી હું માનું છું કે જૈન દર્શન તત્ત્વજ્ઞાનમય છે; કેવળ વિજ્ઞાનમય નથી.* * આ જ વાત આચાર્ય મહારાજશ્રી હરિભદ્રસૂરિ પણ કહે છે - दृष्टशास्त्राऽविरुद्धार्थ सर्वसत्त्वसुखावहम् । मोतं गभीरमाहलादि वाक्यं यस्य, स सर्वविद् ॥ १ ॥ एवं भूतं तु यद्वाक्यं जैनमेव, ततः स वै । सर्वज्ञो, नान्यः, एतच्च स्याद्वादोक्त्यैव गम्यते ॥ २॥ पक्षपातो न मे वोरे, द्वेषो न कपिलादिषु । સુમિશ્નરને ચ0, તરી શાર્થઃ પરિ / ૩ / જેનું વાક્ય જગત અને શાસ્ત્રો (થીએરીઓ-Theory),) કરતાં વિરુદ્ધ અર્થ ન સમજાવતું હોય, સર્વ પ્રાણુઓને હિતકર હોય, માપસર હોય, ગંભીર અને આનંદદાયક હોય, તે સર્વજ્ઞ સમજવા. ૧. એવા પ્રકારનું જે વાક્ય તે તે કેવળ જન વાકય જ છે તેથી તે જ સર્વજ્ઞ છે, બીજા કોઈ સર્વજ્ઞ હેઈ શકે જ નહિ. આ વાત સ્યાદ્વાદની ઉક્તિથી જ સાબિત કરી શકાય છે. ૨. મને મહાવીર ઉપર પક્ષપાત નથી, અને કપિલ વગેરે ઉપર દ્વેષ નથી. છતાં એટલું તે ખરું જ છે કે—જેની વાત યુક્તિયુક્ત હેય, તેને તો સ્વીકાર કરવો જ પડે ને? ૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001050
Book TitleDravya Gun Paryaya no Ras
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorJain Shreyashkar Mandal, Mahesana
PublisherJain Shreyaskar Mandal Mahesana
Publication Year1938
Total Pages303
LanguageGujarati, Apabhramsha, Sanskrit
ClassificationBook_Gujarati & Philosophy
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy