SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ પકડ. અમૃત-સમીપે વળી, જુદા-જુદા જૈન ફિરકાઓ વચ્ચે પ્રવર્તતા મતભેદો અને વિખવાદોના નિવારણમાં અને એકતાની સ્થાપનામાં સારી રીતે ઉપયોગી થઈ શકે એવું મધ્યસ્થ અને ન્યાયપ્રિય એમનું વ્યક્તિત્વ હતું. કોઈ વાતમાં ઉતાવળા થઈને ઊકળી જવું નહીં, અનુકૂળતા જોઈને વધારે પડતા હરખાઈ જવું નહિ અને પ્રતિકૂળતાઓની સામે હતાશ થવું નહિ; પણ પોતે નક્કી કરેલ ધ્યેયને માટે પોતાની સૂઝ અને શક્તિ પ્રમાણે શાંતિપૂર્વક પ્રયત્ન કરતા રહેવું એ એમનો સહજ સ્વભાવ હતો. એમને જીવનમાં જે કાંઈ સફળતા સાંપડી, એની ગુરુચાવી આ જ હોય એમ લાગે છે. (તા. ૨૬-૧૧-૧૯૬૦ અને તા. ૨૮-૯-૧૯૬૮) (૧૮) વિધાપ્રેમી શ્રેષ્ઠી શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરી શ્રી મણિલાલ મોહનલાલ ઝવેરીનું મુંબઈમાં તા. ૩૧-૧૦-૧૯૬૨ના રોજ અવસાન થતાં જાહેર સેવાનો રસ ધરાવતા એક શ્રીમંત પુરુષની આપણને ખોટ પડી છે. શ્રી મણિભાઈ મૂળ પાટણના વતની. એમનાં માતુશ્રીનું નામ મેનાબહેન. એમનો જન્મ તા. ૨૬-૧૧-૧૮૯૭ના રોજ થયેલો. વર્ષોથી તેઓ મુંબઈમાં જઈને વસેલા અને એક કાબેલ ઝવેરી તરીકે એમણે આપણા દેશમાં તેમ જ વિદેશમાં ખૂબ આબરૂ મેળવેલી. પોતાના ઝવેરાતના ધંધામાં તો એમણે યુરોપની નામાંકિત પેઢીઓને પણ હંફાવેલી. ઝવેરાતના વેપાર માટે તેઓએ આઠ વખત યુરોપ અને અમેરિકાનો પ્રવાસ ખેડેલો અને ૧૧ વર્ષ જેટલો સમય એ દેશોમાં વિતાવેલો. વિદ્યાપ્રીતિ અને દેશભક્તિ એ શ્રી મણિભાઈના જીવનની નોંધપાત્ર વિશેષતાઓ હતી. એમની આ વૃત્તિઓ કેવળ મનની ભાવનારૂપ કે નિષ્ક્રિય ન હતી, પણ એ બંનેને એમણે પોતાની પ્રવૃત્તિઓમાં ખાસ સ્થાન આપ્યું હતું. તેઓને સાહિત્ય પ્રત્યે ખાસ રસ હતો, અને કેળવણી તેમ જ સાહિત્યના પ્રચાર માટે તેઓ પોતાથી બનતું કરવામાં આનંદ અનુભવતા. એમની તથા એમના ભાઈની સખાવતથી પાટણમાં એમના પિતાશ્રીના સ્મરણાર્થે સ્થપાયેલ શ્રી મોહનલાલ હેમચંદ જ્ઞાનમંદિર શ્રીમંતોને સરસ્વતીની ઉપાસના માટે પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરવાની પ્રેરણા આપ્યા કરશે. રાષ્ટ્ર-સ્વાતંત્ર્યના આંદોલનમાં શ્રી મણિભાઈએ સક્રિય ભાગ લીધો હતો. એ આંદોલન માટે પોતાથી બનતો આર્થિક સાથ આપ્યો હતો, તેમ જ એ માટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy