SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવતલાલભાઈ પ્રતાપશી ૪૨૫ પ્રોત્સાહન આપવા માટે પોતાથી બનતું બધું આનંદપૂર્વક કરતા હતા. આ દૃષ્ટિએ એમના વતન મારવાડની સંસ્થાઓને એમનો ઘણો લાભ મળ્યો હતો. તેઓ જે રીતે ગુપ્તદાન કરતા હતા એની તો જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. આજે આ ગુણ ખૂબ વિરલ બનતો જાય છે. શ્રી ઢઢાજીની એક વિશદ સમજણ અને એ સમજણને અનુરૂપ ઉદાત્ત આચરણની અહીં ખાસ નોંધ લેવા જેવી છે. તેઓ માનતા કે જેમ આપણી સંપત્તિ દેશની અઢારે આલમ પાસેથી એકત્ર થાય છે, તેમ આપણી સંપત્તિનો લાભ બધા ય દેશવાસીઓને મળતો રહે એવી વ્યવસ્થા કરવી એ આપણી પવિત્ર ફરજ છે. જૈન-સમાજ સિવાયની બીજી અનેક વ્યક્તિઓ અને સંસ્થાઓને ઉદારતાપૂર્વક સહાય આપતા રહીને તેઓએ પોતાના આ વિચારને અમલીરૂપ આપ્યું હતું. આને લીધે દક્ષિણ ભારતમાં તેઓની ખૂબ ખ્યાતિ થઈ હતી, અને એ પ્રદેશના શાસકવર્ગ તેમ જ પ્રજાવર્ગ બંનેના આદર અને પ્રેમ મેળવી શક્યા હતા. - શ્રી ઢઢાજીની અને એમની પેઢીની સખાવતોથી ચાલતાં સંખ્યાબંધ દવાખાનાંઓ, જૈન મેડિકલ રિલીફ સોસાયટી અને અનેક સમ્પ્રવૃત્તિઓ તેમની સેવાભાવનાની કીર્તિ-પતાકા બની રહેશે. (તા. ૧૪-૧૨-૧૯૬૮) (૮) ધર્મનિષ્ઠ શ્રેષ્ઠી શ્રી જીવતલાલભાઈ પ્રતાપશી શેઠ શ્રી જીવતલાલ પ્રતાપશીનું જીવન, કાર્ય અને નામ ઇસ્વીસનની વીસમી સદીના જૈન અગ્રણીઓ તથા મહાજનોમાં અગ્રસ્થાને શોભે એવું યશોજ્વળ અને ગૌરવભર્યું છે. પોતાના જીવન સાથે એકરૂપ બનાવી દીધેલ ધર્મનિષ્ઠાની સર્વપાવનકારી ભાગીરથીના આરે એમણે પોતાના જીવનને અને ઉદાર દાનપ્રિયતાના સહારે પોતાના ધનને કૃતાર્થ કરી જાણ્યું હતું. જૈનસંઘના આવા ધર્મપરાયણ અગ્રણીનું, મુંબઈમાં, તા. ૩૧-૧૨૧૯૭૭ના રોજ, ૯૧ વર્ષની પરિપક્વ વયે સ્વર્ગગમન થતાં તેઓ તો ધન્ય બની ગયા, પણ જૈનસંઘને, ધર્મના ઉચ્ચ આદર્શ પ્રમાણે જીવી જાણવાનો ધર્મપુરુષાર્થ કરનાર એક ધર્માત્મા પુરુષનો સદાને માટે વસમો વિયોગ થયો. શ્રી જીવતલાલભાઈના ધર્મમય જીવનનું મહત્ત્વ ટૂંકમાં કહેવું હોય, તો એમ કહેવું જોઈએ કે ધર્મનું પાલન, ધર્મની પ્રભાવના અને ધર્મની રક્ષા એ ધર્મત્રિવેણીના સંગમને આરે એમણે પોતાના જીવનને કૃતકૃત્ય બનાવ્યું હતું. આ ત્રિવિધ ધર્મપ્રવૃત્તિ એમનું જીવનધ્યેય બની ગઈ હતી, અને એ ધ્યેયને સફળ કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy