SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ અમૃત-સમીપે તો નિજાનંદની પ્રાપ્તિ માટેના પ્રયત્નમાં જ જીવનની સાચી ધન્યતા અનુભવતા હોય છે. આમ છતાં કંઈક ગુરુ પ્રત્યેના આજ્ઞાંકિતપણાથી તથા પોતાના સમુદાય તરફની સામુદાયિક કર્તવ્યની ભાવનાથી દોરવાઈને તેઓએ વિ. સં. ૧૯૬૩માં સુરતમાં ગણિપદનો અને વિ. સં. ૧૯૬૪માં પંન્યાસપદનો સ્વીકાર કર્યો હોવો જોઈએ. જો એમણે આ પદવીઓનો સ્વીકાર આસક્તિથી કર્યો હોય તો, વિ. સં. ૧૯૭૫માં પેથાપુરના સંઘે એમને આચાર્યપદ સ્વીકારવાની આગ્રહભરી વિનંતી કરી ત્યારે વિશેષ હા-ના કર્યા વગર એમણે એ વિનંતિનો સ્વીકાર કર્યો હોત; પણ એમણે એ વખતે ઊલટું આ પ્રમાણે મનોમંથન અનુભવીને પેથાપુરના સંઘની એ માગણીનો વિવેકપૂર્વક અસ્વીકાર કર્યો હતો : “આ પદવીને માટે તું લાયક છે ? આચાર્યપદ એટલે શ્રી ગૌતમસ્વામીએ સ્વીકારેલ પદવી – જે મહાનુભાવ અનેકલબ્ધિસંપન્ન હતા, ચૌદ પૂર્વ અને ચાર જ્ઞાનના ધણી હતા, તેઓ જ તે પદને લાયક હતા. આપણામાં તેઓશ્રીનો એક પણ ગુણ મળે નહિ, તો આ પદને લઈ તું તારા આત્માને શા માટે ભારે કરે છે ? શાસ્ત્રમાં પણ કહેલ છે કે જે “આચાર્ય” શબ્દ મહાનુભાવ ગૌતમસ્વામીએ ધારણ કરેલ, તે શબ્દ-પદવી અયોગ્ય પાત્રને આપવામાં આવે તો અનંતસંસારી બને છે. તો હે ચેતન ! તું વિચાર કર કે આ પદને તું લાયક છે ? આજકાલ ગતાનુગતિક લોકો હોય છે; એકે કર્યું એટલે બીજાએ કરવું એવી સ્થિતિ ચાલી છે. આ પદવીથી તો અભિમાનવૃત્તિમાં વધારો થાય છે. હજી યોગવિદ્યા સંતોષકારક પ્રાપ્ત થઈ નથી. હજી કોઈ જગ્યાએ જવું હશે તો જઈ શકાશે, પણ આ આચાર્ય-પદવી લીધા પછી ક્યાંયે જવાશે નહિ. ભવિષ્યમાં કદાચ ગમે તે થાય પણ હાલ આ વિચાર બંધ રાખવો સારો છે.” (પૃ. ૧૯૧) આ વિચારો તેઓને મન આચાર્યપદ કેવું મહિમાવંત અને જવાબદારીવાળું હતું એનો ખ્યાલ આપવા સાથે એક યોગસાધક આત્માને શોભે એવી એમની હાર્દિક નમ્રતાનું પણ સુભગ દર્શન કરાવે છે. આચાર્ય શ્રી વિજયકમલસૂરિજીનો વિ. સં. ૧૯૭૪ની સાલમાં, બારડોલીમાં, દેશવ્યાપી ઇન્ફલ્યુએન્ઝાના રોગચાળામાં સ્વર્ગવાસ થયો, ત્યારે એમણે પોતાની પછી પોતાના શિષ્ય પંન્યાસ શ્રી કેસરવિજયજીને આચાર્યપદ આપીને સમુદાયના વડા બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. એટલે પેથાપુર સંઘની વિનંતિમાં સ્વર્ગસ્થ આચાર્યશ્રીની અંતિમ ઇચ્છા પૂરી કરવાના કર્તવ્યનું બળ ભળ્યું હતું; છતાં શ્રી કેસરવિજયજી મહારાજે આ પ્રમાણે આંતરિક ચિંતન કરીને એ વાતને જતી કરી હતી. પણ આવી સમર્થ, સધર્મશીલ વ્યક્તિથી આચાર્યપદ હંમેશને માટે અળગું રહે એ જાણે કુદરતને મંજૂર ન હોય એમ, આઠ વર્ષ બાદ, વિ. સં. ૧૯૮૩માં, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001048
Book TitleAmrut Samipe
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai, Nitin R Desai
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages649
LanguageGujarati
ClassificationBook_Gujarati, Discourse, & Sermon
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy