SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના પ૯ આમ છતાં છાયા અને અનુવાદ giાંતો પાઠ પ્રમાણે છે. અહીં ખાસ તો એ જણાવવું છે કે અહીં નિજાન ૩મા મળતા પાઠમાં મળતા શબ્દને શ્રી રાઠોડજીએ સ્વકલ્પનાએ શુદ્ધપાઠ આપવાની આશયથી સ્વીકાર્યો છે. સોતાના સ્થાનમાં સમગ્ર હસ્તલિખિત પ્રતિઓમાં મળે તો પાઠ મળે છે અને તે શુદ્ધ તથા મૌલિક છે. અહીં સૂચિત ઉત્તરાર્ધનો અર્થ આ પ્રમાણે છે “એકાન્ત છે તે મિથ્યાત્વ છે અને અનેકાન્ત છે તે શ્રી જિનોની આજ્ઞા છે.” જૈન સાહિત્યની રચના પદ્ધતિનો અભ્યાસ હોય તો શુદ્ધપાઠ “ગંતોનું નિરાધારપણે “મળેતા' આવું પરિવર્તન ન થઈ શકે. ટૂંકમાં જણાવવાનું એટલું જ કે જે પાઠ સમગ્ર પ્રતિઓમાં મળતો હોય તે માટે સંશોધકે વિચાર કરવો ઘટે, છેવટે સંશોધકને પ્રતિઓનો પાઠ બરાબર ન જણાય તો તે સ્થાનમાં પ્રતિઓમાં મળતા પાઠની નોંધ લેવાની, સંશોધકની નિતિક અને પ્રામાણિક ફરજ છે. અગિયારમી ગાથામાં આવેલા પો–વસ્થની સમજ આપવા માટે નીચે ટિપ્પણીમાં “ggોgઘઃ પુલ્ય: વહુ યત્ર જાતિ વસ્તુ ત્રાધિપતે આ પ્રમાણે લખ્યું છે. એક તો આવી ભોળી ટિપ્પણી પૂ૦ ૫૦ શ્રી કલ્યાણવિજ્યજી ચલાવી લે તે સંભવિત નથી. વિશેષમાં આ ટિપ્પણીમાં મિશિના બદલે II લખીને વ્યાકરણ દોષ પણ થયો છે. જાલોર આવૃત્તિમાં ૧૮મી ગાથાનું ત્રીજું ચરણ આ પ્રમાણે છે–ત્રાથી તૂતન સુરHT. અહીં ટિપ્પણમાં જણાવ્યું છે કે, પ્રતિમાં સુનાવડરથી પાઠ છે. અહીં શ્રી રાઠોડજીએ સંશોધન કરીને છંદોભંગવાળું ત્રીજું ચરણ બનાવ્યું છે. મેં ઉપયોગમાં લીધેલી બધીય પ્રતિઓમાં અહીં ફૂલનપુરમ ૩થી આવો શુદ્ધ અને છંદોમેળયુક્ત પાઠ છે, જે અમારી આવૃત્તિમાં સ્વીકારવામાં આવ્યો છે. આ મૌલિક પાઠમાં છેદોમળ માટે સુસાના સ્થાનમાં ગુમ છે, આ પ્રકારના અનેકાનેક વિવિધ પ્રયોગો જૈનભાષ્યગ્રંથ આદિમાં મળે છે. આ હકીકત પૂ૦ ૫૦ શ્રી કલ્યાણવિજયજીના ખ્યાલમાં ન હોય, તે સર્વથા અસંભવિત છે. જાલોર આવૃત્તિમાં ચૌદમી ગાથાનું ચોથું ચરણ આ પ્રમાણે છે–તહેવુqિળીણ વિ. આને અનુસરીને સંસ્કૃત છાયા પણ છે. આ પાઠ દોભંગવાળો તથા અપ્રમાણિત છે. મને પ્રાચીન પ્રતિઓમાં આ સ્થાનમાં તે વૃક્ષuળીણ વિ આવા છંદોમેળયુક્ત સાચો પાઠ મળ્યો છે. અહીં પ્રાચીન પ્રતિઓ મેળવવા માટે શ્રી રાઠોડની ઉપેક્ષા હોય એમ જણાય છે. જાલોર આવૃત્તિમાં વીસમી ગાથાનું પૂર્વાર્ધ આ પ્રમાણે છંદોભંગવાળું છે—સુમાકુસમાણ ૩ વતાર હવંતિ જોવોડીયો. અહીં મને મળેલી પ્રતિઓમાં સુમસુમig Iો રત્તાર રુવંતિ ક્રોકિશોરીમો પાઠ છે. અહીં પણ પ્રાચીન પ્રત્યંતરી જોવા માટે શ્રી રાઠોડની ઉદાસીનતા જણાય છે. જાલોર આવૃત્તિમાં ચોવીસમી ગાથાનું પૂર્વાર્ધ આ પ્રમાણે છે—તેવર્સેિ = સત્તા વિયાવાવાળ તિ . અહીં શ્રી રાઠોડજીએ મૂલપાઠને અનુસરીને સંત છાયા અને લાંબીચોડી હકીક્તો આપીને હિંદી અનુવાદ પણ કર્યો છે. વાસ્તવમાં અહીં પ્રાચીન પ્રતિઓનો પાઠ આ પ્રમાણે છે—તવર્દિ સરસા નિવયં વાસા હાતિ નકુરત. અહીં જણાવવાનું એટલું જ કે, અહીં મૂલપાઠમાં વેથg અને ૩૬ શબ્દ જ નથી તો પછી આ બે શબ્દને અનુસરીને વિવેચન કરવું તે કેટલું સંગત ગણાય? વિશેષમાં આ પાઠમાંના બાર-માસ સૂચક વર્ષના પ્રાકૃત વાક શબ્દને પણ શ્રી રાઠોડજીને ક્ષેત્રના અર્થમાં લેવો પડ્યો છે. જાલોર આવૃત્તિમાં છત્રીસમી ગાથાનું ત્રીજું ચરણ આ પ્રમાણે છે–નવરિમmટિયાટો. આની છાયા “નવ માર્તિતઃ સ્ત્રા” આ પ્રમાણે છે. અહીં મનાવર્તિત શબ્દના હિંદી અનુવાદમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001044
Book TitlePainnay suttai Part 1
Original Sutra AuthorN/A
AuthorPunyavijay, Amrutlal Bhojak
PublisherMahavir Jain Vidyalay
Publication Year1984
Total Pages689
LanguagePrakrit
ClassificationBook_Devnagari, Agam, Canon, Ethics, agam_chatusharan, agam_aaturpratyakhyan, agam_mahapratyakhyan, agam_bhaktaparigna, agam_tandulvaicharik, agam_sanstarak, agam_gacchachar, & agam_chandra
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy