SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત થાનનાં થાન વધેરી નાંખે છે અને ઊંઘમાં અવ્યવસ્થિત ખૂન સુદ્ધાં કરે છે. એ પાંચમા પ્રકારની 'ધ થઈ. આ છેલ્લી ઊંઘ અર્ધચક્રીના અડધા બળવાળી એટલે બળદેવના જેવી બળવાન હોય છે. શિષ્ય રાતે ઊઠી હાથીના જંતુશળ ખેંચી કાઢે તેટલું તે ધમાં બળ હોય છે અને સંસ્કૃતમાં સ્વાનગૃદ્ધિ-સ્થાનર્થિ નિદ્રા કહેવામાં આવે છે અને તે હલા પ્રકારની નિદ્રા ગણાય છે. દ્વિ-ત્રીજા શતાવેદનીય કર્મના શાતા અને અશાતા નામે બે પ્રકારે વિદ થઈ શકે. શાવાથી સુખને અનુભવ થાય છે, અશાતાથી દુઃખને અનુભવ થાય છે. એ કર્મને મધુલિસ તરવારધાર સાથે સરખાવવામાં આવ્યું છે. શાતાદનીય પણ પરિણામે દુઃખકારક છે અને સુખદુઃખ તે આવે જાય છે. એટલે આ કર્મની બે પ્રકૃતિ વિચારવા લાયક છે. ચાટવાની વાત શાતા વેદનીય સાથે સરખાવવા યોગ્ય છે, પણ મધુથી લેપાયેલી ધારને અશાતા સાથે સરખાવવા યોગ્ય છે. આમાં જીવની સરખામણી મધુલિસ તરવારની ધાર ચાટનારી જીભ સાથે કરવી યે છે. અષ્ટાવિંશતિ–આ મોહનીય કર્મના અઠ્ઠાવીશ પ્રકારની વાત છે. આ મેહનીય કમને કર્મોને રાજા ગણવામાં આવેલ છે અને દારૂ જેવી અસર કરનાર છે. માણસને પડેલ અને ચડેલ ઘેનમાં રાખનાર આ કર્મને અઠ્ઠાવીશ પ્રકાર છે, તેમાં દર્શન મેહનીયના ત્રણ પ્રકાર છે: સમતિ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વમેહનીય. આમાં મિશ્રમેહનીયમાં નાળિયેર દ્વીપના મનુષ્યને અન્ન પર રૂચિ થાય નહિ, કે તેને વિરોધ થાય નહીં, કારણ કે એ કદી અનને જોતા જ નથી. તેમ અરુચિ થાય તે તે મિયાદની સમજે અને રુચિરંત જીવને સમકિતી કહેવામાં આવે છે. આમાં મિશ્ર સ્થિતિ બતાવી તે માત્ર અંતર્મુહૂર્ત, ટકે છે, પછી તે પ્રાણી મિથ્યાત્વમાં કે સમકિતમાં ચાલ્યા જાય છે. અને સમકિતી તરીકે સાત અથવા નવ તત્ત્વમાં શ્રદ્ધા ધરે છે, તેને તવસણા થાય છે અને જૈનધર્મ પસંદ પડે છે. આમાં મિશ્ર સ્થિતિ અડતાળીસ મિનિટથી વધારે વખત ટકતી નથી, તે વાત બરાબર સમજવા ગ્ય છે. દર્શનમેહનીયના આ ત્રણ પ્રકાર થયા. ચારિત્રમેહનીયની પચીશ (૨૫) પ્રકૃતિ છે, તેમાં ક્રોધ, માન, માયા અને લેભના ચાર ચાર ભેદ, એની તરતમાતાને અંબે, ઉપર જણાવ્યું તેમ, પાડવામાં આવ્યા છે તે અનુક્રમે આ પ્રમાણે : અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાની, પ્રત્યાખ્યાની અને સંજવલન, અનંતાનુબંધી કષાય (ક્રોધ, માન, માયા અથવા લેભ) જાવજજીવ રહે અપ્રત્યાખ્યાની એક વરસ રહે પ્રત્યાખ્યાની ચાર મહિના રહે અને સંજવલન કષાય વધારેમાં વધારે પંદર દિવસ રહે. એમાં અનંતાનુબંધી કષાય સમકિતને ઘાત કરે; બીજો પ્રત્યાખ્યાન કષાય સર્વવિરતિપણાને ઘાત કરે; ત્રીજે અપ્રત્યાખ્યાની દેશવિરતિપણા (અણુવ્રતને) ઘાત કરે અને એ સંજવલન પ્રફાર સર્વવિરતિને દૂષિત કરે છે. એ ચારે કષાયે કોઈ કોઈવાર અનુક્રમે પ્રાણને દેવગતિ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy