SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત એકથી વધારે માગણનું જ્ઞાન થાય છે. ગતિ વગેરે દ્વાર પૈકી એકનું ઘણું કે સંપૂર્ણ જ્ઞાન થાય, તે નવમું પ્રતિપત્તિ શ્રુતજ્ઞાન કહેવાય છે. અને ગતિ વગેરે બે-ચાર દ્વારનું જ્ઞાન થાય, તે પ્રતિપત્તિસમાસકૃત કહેવાય છે. આ રીતે દશમું શ્રુતજ્ઞાન અને તેને પ્રકાર થ. “સંતપવાળા કપમા જ વિપુસળા' એ ગાથામાં બતાવેલ દ્વારે પૈકી એક દ્વારનું જ્ઞાન, જેની વિગતે અનુગદ્વારમાં જણાવવામાં આવેલ છે, તે અગિયારમું અનુયોગશ્રુત અને તેવા બે ત્રણ-ચાર કે તેથી વધારે કારનું જ્ઞાન થાય તે બારમું અનુયોગસમાસકૃત જ્ઞાન કહેવાય. આમ છતાં પદની વ્યાખ્યા સમજવી; “ખરશંગ” જેવા શબ્દને આમાં સ્થાન નથી. પ્રાભૃત પ્રાકૃત નામને અધિકાર – પ્રકરણ દષ્ટિવાદ નામના બારમા અંગમાં છે. એના કેઈપણ એક અધિકારનું જ્ઞાન, તે તેરમું પ્રાકૃત પ્રાકૃત શ્રુતજ્ઞાન કહેવાય છે. અને એવા બેચાર કે વધારે અધિકારનું જ્ઞાન થાય તે ચૌદમું પ્રાભૃત પ્રાભૃત સમાસશ્રુતજ્ઞાન કહેવાય છે. આ દષ્ટિવાદ અંગ હાલ મોજૂદ નથી. શ્રુતજ્ઞાનને આ ૧૩ અને ૧૪ વિભાગ થયે. જેમ ઘણા ઉદેશે એક અધ્યયન થાય, તેમ ઘણું પ્રાકૃત પ્રાભૃત મળવાથી એક પ્રાભૂત થાય તેનું પ્રાભૃતકૃત અને એવાં એકથી વધારે પ્રાભૂતનું જ્ઞાન થાય, તે પ્રાભૂત સમાસથુત કહેવાય છે. આ રીતે શ્રુતજ્ઞાનને પંદરમે અને સોળમ પ્રકાર થયે. ઘણાં પ્રાભૂતથી એક વસ્તુ જણાય અથવા જેને અગાઉના કાળમાં પૂર્વ કહેતા હતા, તે પૈકી એ વિચ્છેદ ગયેલામાંના એક પૂર્વનું જ્ઞાન થાય, તે સત્તરમું વસ્તુ શ્રુતજ્ઞાન કહેવાય છે. એ ચૌદ પૂર્વનાં નામ અનુક્રમે આ પ્રમાણે છેઃ ૧. ઉત્પાદ, ૨. અગ્રાયણીય, ૩. વીર્યપ્રવાદ, ૪. અસ્તિપ્રવાહ, ૫. જ્ઞાન પ્રવાદ, ૬. સત્યપ્રવાદ, ૭. આત્મપ્રવાદ, ૮. કર્મપ્રવાદ, ૯. પ્રત્યાખ્યાનપ્રવાદ, ૧૦. વિદ્યાપ્રવાદ, ૧૧. કલ્યાણપ્રવાદ, ૧૨. પ્રાણપ્રવાદ, ૧૩: ક્રિયાવિશાલપ્રવાદ, ૧૪. લેકબિંદુસાર ? એ ચૌદ પૂર્વનાં નામ છે. તે ઘણું હાથીપ્રમાણુ મસીને લખવા સારું રેકે છે. આવા એક એક પૂર્વનું જ્ઞાન થવું, તે પૂર્વશ્રત કહેવાય છે. પૂર્વમાં એકથી વધારે વસ્તુ આવે. તે તે જેણે પૂર્વ વાંચ્યાં હોય તે જાણે. અને એકથી વધારે પૂર્વનું જ્ઞાન થવું તે પૂર્વ સમાસકૃતજ્ઞાન કહેવાય. આ ૧ અને ૨ પ્રકાર થયો. એનું આવરણ અથવા આચ્છાદન થાય તે શ્રુતજ્ઞાનાવરણીય કર્મ કહેવાય. એમાં “આ કાંઈક છે” એવું અવ્યક્ત જ્ઞાન થાય, તેને વ્યંજનાવગ્રહ કહે છે, તે આપણે ઉપર જોયું. તેમાં વસ્તુ અને ઈન્દ્રિયને સન્નિકર્ષ-સંબંધ ન હોય, તેથી નેત્ર અને મનને વ્યંજનાવગ્રહ ન લાગે, પણ બાકીની ચાર ઈન્દ્રિયને લાગે. અને ઈહા, અપાય અને ધારણ તથા અર્થાવગ્રહને એમ એ પ્રત્યેકના છ છ ભેદ ભેળવતાં ૨૮ ભેદ મતિજ્ઞાનના થાય તેવા દરેક અઠ્ઠાવીથ ભેદને બીજા બાર પ્રકાર લાગે છે. દાખલા તરીકે છ, ઘણું કારણ શબ્દ સાંભળે છે, કોઈ જીવ તેમાં ઘણા શબ્દો ગ્રહે અને કઈ જીવ એક ઢોલ હવાય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy