SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમરતિ વિવેચન સહિત . હવે આપણે અવિરતિને બંધહેતુ તરીકે વિચારીએ. અવિરતિ એટલે શ્રાવકના બાર વ્રત-અણુવ્રત ન લેવા. એ રીતે એના બાર ભેદ કર્યા છે. દોથી ન વિરમવુ એનું નામ અવિરતિ ત્યાં કોઈ પણ જીવને ઘાત કરવો તે હિંસા છે. કઈ પણ જીવને જીવ ન લે તે અહિંસા છે. પણ શ્રાવકથી સર્વ આરંભ-સમારંભને સર્વથા ત્યાગ ન થઈ શકે, એટલે એની અહિંસા અણુવ્રત-સ્થૂળવ્રતમાં–આવે છે, જ્યારે સાધુ વ્રત-નિયમ કરી હિંસાને સર્વથા ત્યાગ કરી શકે છે; એમને મહાવ્રત હોય છે. એ જ પ્રમાણે બીજ અસત્ય ત્યાગવ્રતને માટે સમજવું. શ્રાવક, બારવ્રતધારી થાય ત્યારે, તે મોટાં જૂઠે ન બોલે, તેને અણુવ્રત હોય. સાધુને અસત્યને સર્વથા ત્યાગ હોય, તેથી તેઓ મહાવ્રતધારી કહેવાય છે. પારકી વસ્તુ ધણીની પરવાનગી વગર ચેરવી કે તફડાવી કાઢવી નહીં તે અચૌર્યવ્રત ત્રીજામાં આવે છે. એ અવિરતિમાં પણ સાધુ સર્વથા ચારીનો ત્યાગ કરે છે. જ્યારે શ્રાવક આશુવ્રતમાં રહે છે, પણ એને પડેલ કે વિસરેલના તે પચ્ચખાણ-વ્રત-નિયમ હોય છે. એ અબ્રહ્મ એટલે બ્રહ્મચર્ય ન પાળવું તે, તેમાં પણ શ્રાવકના વ્રત તે અપરિણિત સ્ત્રી સુધી અથવા વિધવા, બાળકુમારી સુધી જ હોય છે; સાધુ સર્વથા બ્રહ્મચર્ય પાળે છે. એટલે એમની મર્યાદા મહાવ્રત છે, જ્યારે શ્રાવકો અણુવ્રત પાળે છે. અને છેલ્લા અપરિગ્રહ વ્રતમાં પિતાના ફનચર, માલમત્તા અથવા રૂપિયા–નાણાને સમાવેશ થાય છે. અમુક રકમથી પરિગ્રહ વધારવો નહિ તેવી મર્યાદા શ્રાવકની હોય, તે અણુવ્રત પાળે છે. સાધુ પરિગ્રહને સર્વથા ત્યાગ કરે માટે તેમને મહાવ્રત હોય છે. - આ પાંચ અણુવ્રત અથવા મહાવ્રત ઉપરાંત ત્રણ શિક્ષા એટલે આત્માને શિખામણ આપવાનાં વતે હોય છે, તે આપણે જોઈ જઈએ. છઠ્ઠા વ્રતમાં ચારે દિશાએ જવા-આવવાને નિયમ હોય છે. તેને દિગપરિમાણવ્રત કહે છે, એમાં કાંકરે પણ દિશામાં ન નખાય અથવા પિતાની હાજરી નિશાનીથી ન જણાવાય તે નિયમ હોય છે. સાતમા ભેગોપભેગ વ્રતમાં એક વખત ભેગમાં આવે તેવી વસ્તુને ભેગ્ય કહેવાય છે, અને આસન, શયન કે સ્ત્રીને ઉપભેગની-વારંવાર વપરાતી-ચીજ કહી છે, તેમાં પંદર કર્માદાનના વ્યાપાર ગણ્યા છે. એટલે હિંસા કરે તેવા વ્યાપારને પણ પ્રતિબંધ છે અને અભક્ષ્ય, અનંતકાય ન ખાવાનો નિયમ હોય છે. આઠમાં અનર્થદંડમાં વિના કારણે થતા પાપ નાટક-સિનેમાને નિયમ હોય છે અને તે હદ ન ઓળંગવાની આજ્ઞા હોય છે. આ દિક્પરિમાણવ્રત, ભેગેપગ વ્રત અને અનર્થદંડવિરમણવ્રત એ ત્રણે તેને શિક્ષાવ્રત કહેવામાં આવે છે. આ રીતે આઠ વ્રત થયાં, હવે ચાર ગુણત્રત કહેવામાં આવે છે. એ શ્રાવકના મૂળ ગુણેને ગુણે કરનાર હોવાથી અને ખાસ કરીને અહિંસાભાવને પોષનારા હોવાથી ગુણવ્રત - કહેવાય છે. તે નવમાંથી બારમા વ્રતમાં આવે છે. આત્માને બે ઘડી-૪૮ મિનિટ-સમતામાં, જ્ઞાન-ધ્યાનમાં રાખવે તે નવમું સામાયિક વ્રત છે. શ્રાવકે દરરોજ એક સામાયિક તે અવશ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy