SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ કલા અને વિષય ૫૫. એ અર્થ પણ સુયુક્ત છે. માયાવી પુરુષની નીચતા, બાહ્યરચના અને જાહેરાત એવી હોય છે કે, બધી રીતે એને સપની ઉપમા આપવામાં આવે તે સામે મારે કોઈ વાંધો નથી. એટલે “આત્મષહતઃ–એને સર્પ સાથે અને માણસ (માયાવી જન) સાથે સરખાવવામાં અર્થ વધારે મજબૂત થાય છે. સારાંશ એ છે કે, માયાવી માણસે કાંઈ વાંક ગુહે ન કર્યો, તે પણ તેની લોકોમાં શાખ એવી થયેલી હોય છે કે, સપની જેવા તે માયાવી. પુરુષમાં કઈ વિશ્વાસ રાખતું નથી. અને વિશ્વાસે તે વહાણ ચાલે છે, અને જે માણસ પરથી વિશ્વાસ જાય, તે આ દુનિયામાં જીવત મુવા જેવા છે. માયા આવી અનર્થ પરંપરા મૂકીને જાય છે અને પરિણામે એ નવાણીઓ કુટાઈ જાય છે અને બજારમાં કે કઈ ધંધાદારી પાસે તેની આબરૂ રહેતી નથી. એટલે એ પણ, માયાના પરિણામે, અનેક અનર્થોને હારબંધ પામે છે. લેકે એને ભલે કરતા નથી અને ભારે ન કરવાને પરિણામે જ તેને અનર્થ પરંપરા થાય છે. એટલે ક્રોધ અને માનની પેઠે માયા પણ ત્યાજ્ય છે, હવે આપણે લેભ નામના ચેથા કષાય પર વિચાર કરીએ. (૨૮). વ્યક્તિગત લોભથી અનર્થપરંપરા– सर्वविनाशाश्रयिणः सर्वव्यसनकराजमार्गस्य । लोभस्य को मुखगतः क्षणमपि दुःखान्तरमुपेयात् ? ॥२९॥ અર્થ–બધા પ્રકારના વિનાશનો આશ્રય કરનાર અને સર્વ પ્રકારનાં દુબના એક જાહેર રસ્તા જેવા લેભ પાસે આવેલ હોય તે, એક ક્ષણમાત્ર પણ બીજા દુઃખ તરફ નજર માત્ર પણ કેણ કરે ? લેભ જ એને જોઈએ તેટલું દુઃખ આપવા તૈયાર છે. (૨૯). - વિવેચનલેભ સર્વથી અધમ અને નિકૃષ્ટ મનોવિકાર છે, કષાય છે. એ ઉદયમાંથી પણ દશમે ગુણઠાણે (ગુણસ્થાનકે) જાય છે, જ્યારે ઉદયમાંથી બીજા બધા કષાય નવમે ગુણઠાણેથી જાય છે. એનાં બન્ને વિશેષણે વિચારવા લાયક - એ, સર્વ વિનાશને દોરનાર છે અથવા તેને આશ્રય કરનાર છે, એવો એ લેભ નામને છેલ્લે કષાય છે. એ અત્યંત નિકૃષ્ટ અને અધમાધમ છે અને ડાહ્યા માણસ એના માગે આ કારણે જતા જ નથી. આવા અધમ લેભને પાલવે પડ્યા તે માર્યા ગયા, એ સમજવું. દુનિયાની વસ્તુઓ, પછી તે પરિગ્રડના આકારમાં કે બીજા કોઈ આકારમાં હોય, તેને સંતોષ ન થાય તે તે લેભને આકાર ધારણ કરે છે. અને લેભ તે ઘણા વખત સુધી જતું નથી અને સર્વ વિનાશને એ નજીક કરે છે, કારણ કે, એ લેભ નામને મને વિકાર શાંત બેસી જ રહેતું નથી અને પ્રાણીને ખરાબમાં ખરાબ સ્થિતિમાં મૂકી દે છે. આવા સર્વવિનાશને આશ્રય કરનાર લેભ કદાચ પાસે આવી ગયો હોય, તે દુઃખનું તે પૂછવું જ શું? કારણ કે લેબ દુખેને સ્નેહી અથવા દુખમય જ છે. અથવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy