SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ મામ ૬૮૫ જ પડે. આપણે તેટલા માટે ઉપર જણાવી ગયા કે જ્ઞાન અને ક્રિયા બન્નેની જરૂર છે. એકલું જ્ઞાન ભારરૂપ છે અને એકલી ક્રિયા લ'ગડી છે. હું એક સમજુ માણસને મળ્યા. તેની દુકાનમાં અનેક માણસો હતા. આ ભાઈસાહેબ પણ તકીયે માથું નાખી, હાથમાં રહેલી બીડી પીતાં પીતાં સવાલ કરે છે, • ભાઈ, મેક્ષે કેમ જવાય ?' જવાબ આપનાર પણ દુનિયાના ખાધેલ માણસ હતા. તેમણે કહ્યું, જેમ બેઠા છે તેમ બેસી રહેા, જરાપણ હાલે ચાલે નહિ ને બીડીનાં ગૂંચળાં ફૂડકો ~~~ એટલે મોક્ષ મળી જશે? આ શું તમારા આચાર ? અને શે! ઢંગધડો ? માંમાંથી બીડીના ધૂમાડા કાઢવા છે અને આવે! મેાક્ષમાં જવાને વિશેના અતિ ઉત્કૃષ્ટ સવાલ પૂછતાં તમે જરાએ શરમાતા નથી ? તમારામાં મેાક્ષમાં જવાના એક પણુ આચાર છે? આવા સવાલ પૂછ્યો એ પણ તમારી ધૃષ્ટતા છે.' પેલા સવાલ પૂછનાર બહારગામના હતા. તેણે સવાલ તે માત્ર વિનેદમાં પૂછ્યો, પણ જવાબ સાંભળી ચાટ થઈ ગયા. આ રીતે મેાક્ષને ઓળખવાની અને તેના સંબંધમાં ગભીર વિચારણા કરવાની જરૂર છે. સ`થી અગત્યની બાબત એ છે કે મેાક્ષમાંથી કદી પાછા આવવાનું થતું નથી. મેાક્ષમાં જે આત્મિક આનંદ એક વાર થાય છે તે સ્થાયી રહે છે. અને પછી જન્મ, જશ કે મરણની ઘટમાળા ચાલતી નથી. મેક્ષના પ્રાણી કદી પણ સંસારમાં આવતા નથી. જે સુખની પાછળ સુખના અભાવ, અલ્પભાવ કે દુઃખ આવવાના સંભવ રહે કે સુખ આવતું અટકી જાય તેને સુખ કહી શકાય જ નહિ. આ મેાક્ષમાં તે સ્થાયી ને નિરંતર સુખ મળે છે અને તે આત્મિક સુખ હોઇ સંસારી તેને બરાબર વર્ણવી શકતા નથી, કારણ કે તે સુખને સરખાવી શકાય એવી એક પશુ વસ્તુ અસ્તિત્વમાં નથી, તેથી સરખામણી પણુ એ સુખની થઈ શકે તેવું નથી. આ અદ્ભુત, અવણ્ય, અકલ્પ્ય સુખના વણુનને આપણે આ પ્રકરણના અંતમાં ફ્રીવાર જરૂર હશે તે વિચારીશું. હાલ એને કર્તા તેવી રીતે વર્ણવે છે તે સમજીએ અને આ નાનું પ્રકરણ યાગની દૃષ્ટિએ અતિ મહત્ત્વનું છે તેમ સમજી તેના પર ધ્યાન આપીએ. માક્ષનું સામાન્ય સ્વરૂપ सादिकमनन्तमनुपममव्याबाधसुखमुत्तमं प्राप्तः । केवलसम्यक्त्वज्ञानदर्शनात्मा भवति मुक्तः ॥ २९० ॥ અથ—માક્ષમાં ગયેલ પ્રાણી સાદિ, અનંત, અણ્ય અને ખાધા પીડા વગરનું ઉત્તમ સુખ પ્રાપ્ત કરે છે અને માત્ર ક્ષાયિક સમકિત અને સભ્યજ્ઞાન તથા સમ્યગ્ દર્શનને પામે છે. (૨૯૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy