SearchBrowseAboutContactDonate
Page Preview
Page 691
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશમતિ વિવેચન સહિત આવે, માટે સુજ્ઞ માણસેાએ મન, વચન, કાયાની શક્તિ મચાવી તેને બને તેટલે સંગ્રહ કરવા જોઈએ. એ શક્તિ કેવળીએ કેવી રીતે જાળવી રાખે છે અને તેને લાભ લઈ પરિણામે તેના કેવી રીતે સર્વથા ત્યાગ કરે છે તે આખી આત્મિકક્રિયા સમજવા જેવી છે. નકામા શક્તિના દુર્વ્યયને અને ખાસ કરીને વાણીના દુર્વ્યયને અટકાવી મૌન સેવી શક્તિને સંગ્રહ કરવા. વાણીના સંયમથી અનેક વૈધે થતાં જ નથી, અટકે છે અને આપણા થતા નકામા વિનાશ અટકે છે અને આપણે આપણાં કામમાં વધારે જોરવાન પ્રયત્ન કરી શકીએ છીએ. આ પ્રકરણમાં, મન, વચન, કાયાના ચાંગા પર સંયમ લાવવાને પરિણામે આખરે તેનું રુંધન કેવું સુંદર રીતે થાય છે તે જ વિચારવાનું છે. આની શરૂઆત વાસંયમથી સારી રીતે કરીએ. આ વાણીના સંયમ કર્યા પછી કાયાના અને મનના સંયમ કરવા તેટલે જ જરૂરી છૅ. તે મન, વચન અને કાયાના યોગા પર સંયમ કેમ કરવે તે ગ્રંથકાર પોતે જ બતાવે છે. આપણે તે પર વિવેચન કરીશું, આપણે માટે તે તે આદર્શ છે. અનુભવ વગર તે પર વિવેચન કરવાની વાત કરવી એ એક પ્રકારની ધૃષ્ટતા છે, પણ તેને ભાગે પણ આવે મહત્ત્વના વિષય આ ગ્રંથની પછવાડેના ભાગમાં આવે છે તેને કલ્પનાથી પણ ન્યાય આપવા જોઇએ. આ મન, વચન અને કાયાના ચેગેને કેવળી મેાક્ષગમન કરતાં પહેલાં રુંધે છે. તેથી તે અતિ મહત્ત્વની બાબત છે અને તે દૃષ્ટિએ તે સમજવા ચેાગ્ય છે. ચાગનિરાય કોણ કરે ?— स समुद्घातनिवृत्तोऽय मनोवाक्काययोगवान् भगवान् | यतियोग्ययोगयोक्ता योगनिरोधं मुनिरुपैति ॥२७८॥ અથ—ઉપર પ્રમાણે સમુદ્ધાતથી પાછે આવેલેા કેવળજ્ઞાની ભગવાન કે તીર્થ'કર સાધુને યાગ્ય યાગથી જોડાયલા હોય છે, તે મુનિ-સાધુ યોગનિરોધ કરે છે. (૨૭૮) વિવરણ—પ્રથમ તા યાગનિધ કયા પ્રાણી કરે તે આ ગાથામાં બતાવવામાં આવશે. તે પછીની ગાથમાં યાગનિરોધ કેમ થાય તેની વિધિ બતાવશે. આ અતિ અગત્યના વિષયને લક્ષપૂર્વક સમજવા પ્રયત્ન કરવે. સમુદ્દઘાતનિવૃત્તો—સમાત થઈ ગયા પછી કેવળી ભગવાન આ યાનિધ કરે છે. સમુદ્ઘાત કર્યો પછીના અને માક્ષપ્રાપ્તિ પહેલાંના વખત સૂચવનાર વાત છે. આ વખતે મેક્ષ જતાં પહેલાં અંતર્મુહૂત કાળ બાકી રહે ત્યારે યાગનિરોધ થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy