SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૐ પ્રામાંત વિવેચન સહિત ન કરે, પણ તેને ઋદ્ધિ કે સિદ્ધિ તે જરૂર મળે. પ્રમાદથી એ પાતાના અધઃપાત ન વારે. પ્રવેક—પ્રકાર, અનેક પ્રકારની સિદ્ધિઓ અને નિષિએ તેને મળે છે. ઋદ્ધિના ઉપયાગ તે યાગમળે વધારવા અંગે કરે. એ સાંસારિક કે અંગત કઈ હેતુએ એ સિદ્ધિને ઉપયોગ ન કરે. પણ એને સર્વ આઠે સિદ્ધિ મળેલી ડાય છે. અને તેનામાં તેની શક્તિ હોવાને કારણે જ એ અપૂર્ણાંકરણ કરી ચારે ઘાતીકર્મનો ક્ષય કરવાની શરૂઆત તા કરી દે છે. વિભવ—વૈભવ. આઠે મહાસિદ્ધિઓ માટી દોલત સમાન છે અને તેને વૈભવ કહેવામાં જરાપણ અતિશયેક્તિ નથી. જાતભદ્ર—કલ્યાણવંત. ધ્યાતા જન્મથી ભદ્રપરિણામી હોય છે. ભદ્રિક જીવા સ્વભાવ વડે જ કલ્યાણને ઇચ્છનારા અને કલ્યાણુ કરનારા હોય છે. આ ધ્યાતાનું કલ્યાણ તે થઈ જ રહ્યું છે, અને તે તેણે ધ્યાનના ખળથી પ્રાપ્ત કર્યું છે. એ જન્મથી કલ્યાણવત હોય કે ન પશુ હાય, પણ અત્યારે તે તેનું કલ્યાણ થઈ રહ્યું છે અને તે તેણે પ્રયાસ કરી પ્રાપ્ત કર્યુ છે. ૨૫૧-૨૫૫ ગાથામાં જેનું વન કરવામાં આવ્યું છે તેવે ધ્યાતા હોય. (૨૫૫) ધ્યાતા ગારવમાં પડે નહિ— सातर्द्धिरसेष्वगुरुः प्राप्यर्द्धिविभूतिमसुलभामन्यैः । सक्तः प्रशमरतिसुखे न भजति तस्यां मुनिः सङ्गम् ॥ २५६ ॥ અથ—સાતા, ઋદ્ધિ અને રસના ગારવેાથી રહિત, અને જેને ખીજાએ પ્રાપ્ત કરવી સહેલી વાત નથી તે ઋદ્ધિવૈભવને સારી રીતે મેળવીને, તે તે શાંતિના સુખમાં આનંદ પામે છે, અને તે ઋદ્ધિ વગેરેમાં આસકત પણ થતે નથી. (૨૫૬) વિવેચન-ધ્યાન કરનાર કેવા હેાય છે તેનું આ ગાથામાં વધારે વણુન કરે છે. પ્રાસંગિક તરીકે અત્ર ગારવ અથવા ગૌરવને પણ વણુવી દીધાં છે. ગારવ—ગૌરવ, અભિમાન, અડુંકાર. આ ત્રણ પ્રકારના ગારવે છે—ઋદ્ધિ, રસ અને સાતાગારવ. ઋદ્ધિગારવ તે મેટા ધનપતિ કે રાજામહારાજાને થાય. તે ધનપતિનું પ પચાવવું બહુ મુશ્કેલ છે. પૈસાની સાથે અભિમાન તે નેડાયલું જ રહે છે, બીજું, રસવાળી ચીજ મેાસંખી, સંતરા કે શેરડી પેાતાને મળ્યાં હોય તેનું અભિમાન પ્રાણીને તરત આવી જાય છે અને મારી ત`દુરસ્તી કે શરીરના અવયવે કે સ્નાયુએ એવા મજબૂત છે કે હું પચાસ માજીસની રસાઈ જમી લ" અને ઊભા ઊભા એક મળ્યુ દૂધ પી જાઉં, પેાતાની તબિયતને અંગે આવું અભિમાન પ્રાણી ઘણીવાર કરે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy