SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સસ્થાન—લેકની અને પ્રત્યેક દ્રવ્યની આકૃતિએ કેવી હાય છે તે મનમાં ધારી લઈ તેને ચિતવવી એ ધર્મધ્યાનના ચેાથે વિભાગ છે. ધ્યાન વૈયક્તિક રીતે આ પુનરાવત નને ભાગે ફરી વખત ધર્મધ્યાનના ચારે વિભાગે મતાથી ગયા. વિરાગવાર્તા ગમે તેટલીવાર કરવામાં આવે તેમાં પુનરુક્તિદોષ લાગતા નથી એમ કહી એવી વાત પુનઃ પુનઃ કરવાની ટેવ પાડવાના આગ્રહ ગ્ર'થકારે જ શરૂઆતમાં કર્યા છે. (૨૫૦) ધમ ધ્યાનના અધિકારી (યાતા)— नित्योद्विग्नस्यैवं क्षमाप्रधानस्य निरभिमानस्य । धुतमायाकलिमलनिर्मलस्य जितसर्वतृष्णस्य || २५१ ॥ અર્થ- —હુંમેશ (સંસારથી) ભય પામેલા હાય, ક્ષમા જેના મનમાં પ્રધાન સ્થાને હાય (નિષ્ક્રોધી હાય), અભિમાન વગરના હાય તેમ જ માયા-કપટને જેણે જીત્યા હોય અને સર્વ પ્રકારની તૃષ્ણા ઉપર જેણે વિજય મેળવેલા હાય તે ધર્મધ્યાન કરનારો હાય. (૨૫૧) વિવેચન—આ શ્ર્લોકમાં ધ્યાતા કેવા હોય તેની ઘેાડી વિગતા બતાવે છે. એ પાંચ ગાથા સુધી ચાલશે. ધ્યાતાનું અન્યત્ર યોગગ્રંથોમાં વર્ણન કર્યુ છે તે નીચે વિચારવામાં આવશે. આપણે પ્રથમ ગ્ર'થકર્તા સાથે વિચાર કરીએ. ઉદ્વિગ્ન—આપણે અગાઉ સ્તવનમાં સમકિતીનાં પાંચ લક્ષજ્ઞા જોઈ ગયાં. શમ, સંવેદ, નિવે, આસ્તિકય અને અનુકપા એ પાંચ લક્ષણા પૈકી નિવેદ નામનું ત્રીજું લક્ષણ અહીં પ્રસ્તુત છે. એને સંસારમાં રાચેલા પ્રાણીઓના પૌદ્ગલિક ભાવ જોઈને અંતરથી સંસારના ત્રાસ આવે, એ જોઈ શકે કે સંસારમાં તે નવ સાંધીએ ત્યાં તેર તૂટે એવી આ વાત છે. જરા ઊંઘીએ ત્યાં તેડું આવે કે કુટુંબમાં અમુકને ગાળેા ચડયો છે, કોઈ વાથી, કોઈ મરકીથી, કાઇ તાવથી પીડાય, પૌદ્ગલિક ફરનીચર ન મળે ત્યાં સુધી તેના તરફ રાગ રહે, પણુ મળ્યા પછી તે કયાં કયાં મૂક્યું છે તેનું પણ ભાન નહિ, અને હુજુ ઠરીઠામ બેસે નહિ ત્યાં હુકમ આવે કે ઊપડે, ચાલા. આવા સંસારથી ખરેખર ખીધેલે ધ્યાતા હાય, એને સંસારમાં કાંઈ પ્રેમ ઉપજે જ નહિ. આ સંસારમાંથી હુંમેશને માટે હું છૂટું કયારે અને પરમાનંદ સ્થાન પ્રાપ્ત કરું કયારે એવી એની ઇચ્છા થયા કરે. સંસારમાં તા એક આવે, બીજો મરે અને રસિક પ્રેમી દેખાતી પ્રિયા પણુ અન્યને ટૅચ્છે. આમાં કોઈ આપણું નથી અને આપણને થયેલા કે થવાના વ્યાધિ કોઈ લેતું નથી. એ તે રાતના પખીને મેળે છે. આ સંસારમાં એક પશુ મેળ ખાતા નથી અને તેમાં રાચવા-માચવા જેવું કાંઈ નથી. આવી વૃત્તિવાળા ધ્યાતા હોય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy