SearchBrowseAboutContactDonate
Page Preview
Page 642
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યાન મૂર્તિને સ્થિર કરવી તે પણ આ ધ્યાનને વિષય છે. આ ધ્યાનમાં પ્રાણ પિતે સર્વ થયેલ છે એ અનુભવ આગળ વધતાં કરે છે. રૂપાતીત—ધર્મધ્યાનના ચેથા પ્રકારમાં પ્રાણી અમૂર્તમાં ચિત્તને સ્થિર કરવાની ભાવના કરે છે. ચિદાનંદમય, શુદ્ધ, પરમાક્ષરરૂપ અમૂર્ત આત્માનું સ્મરણ તે રૂપાતીત ધ્યાન કહેવાય છે. સિદ્ધ સ્વરૂપના ગુણેને મૂર્તરૂપે કલ્પી પરમાત્મામાં તે ગુણે વ્યક્તરૂપે છે અને પિતાનામાં એ ગુણ શક્તિરૂપે છે એ વિચારી તે ગુરુગ્રામમાં લીન થવું એ રૂપાતીત ધ્યાન કહેવાય. ધર્મધ્યાન સાલંબન ધ્યાન છે. અને રૂપસ્થ ધ્યાન પછી નિરાલંબન ધ્યાનમાં પ્રગતિ કરતાં પહેલાં આવી રીતે ગુણને મૂર્ત સ્વરૂપે ધ્યાવવા તે તેનું નિરાલંબન ધ્યાનનું) આગલું પગથિયું છે. આવી અનેક રીતે પ્રાણું ધર્મધ્યાન કરે છે. જેનું ધ્યાન કરવાનું છે તે વીતરાગ છે, એના દ્વેષ, મોહ, મદ, મત્સર ગયેલા છે અને તે પિતાને માટે કાંઈ કરતા નથી, તેની તપાસ અને પરીક્ષા કરી સાચું આલંબન કરવું અને અંધકારમાં મેહથી મૂંઝાઈ ન જવું. આ ધર્મધ્યાન પછી શુકલધ્યાન – નિરાલંબન ધ્યાન આવે છે. તે આ પ્રકરણને વિષય નથી. અહીં તે આ કાળમાં થઈ શકે તેવા ધ્યાનની વાત કરી છે. હવે આપણે ધર્મધ્યાનના ભેદને વિચારીએ. (૨૪૭) ધર્મધ્યાનના પ્રથમના બે ભેદે– आप्तवचनं प्रवचनं चाज्ञा विचयस्तदर्थनिर्णयनम् । आस्रवविकथागौरवपरीषहायेरपायस्तु ॥२४८॥ અથ–આધારભૂત મહાપુરુષનાં વચનના અર્થને નિર્ણય કરે, જિનપ્રવચનના અર્થને નિર્ણય કરે અને વીતરાગ જિનેશ્વરની આજ્ઞા શું છે તેને નિર્ણય કરવો તે - આજ્ઞાવિચય નામનું પ્રથમ ધર્મધ્યાન છે. અને કર્મની આવક, સ્ત્રીભેજનાદિની કથા અને ત્રણ ગાશે તેમ જ પરીષહેની અંદર અપાયનું ચિંતવન કરવું તે બીજે અપાયવિચય ધર્મધ્યાનને ભેદ છે. (૨૪૮) વિવેચન–આખ એટલે આધારભૂત. પ્રથમ તે વચન બોલનાર કેવા છે, તેના રાગ દ્વેષ મેહ કેટલા ઓછા થયા છે, તેમને કોઈ જાતને સ્વાર્થ સાધવાને છે કે નહિ, તેઓ માત્ર આપણું હિત માટે જ બોલે છે કે કોઈ બીજે હેતુ છે તેની પરીક્ષા કરી જેને નિર્ણય કરવામાં આવે તે આપ્તપુરુષ. આ ગાથામાં પ્રથમના બે પ્રકારે ધર્મધ્યાનને અંગે કહેવામાં આવશે. આપ્તતાની ખાત્રી માટે અનેક રીતે પરીક્ષા કરવી. પછી ખાતરી થાય તે તેમની આપ્તતા સ્વીકારી તેમણે શું કહ્યું છે તે વિચારવું, કારણ કે આપ્ત પુરુષએ . કેટલાક ભાવે એવા કહ્યા હોય છે કે જેમાં તર્ક – ચર્ચા ચાલી જ શકે નહિ. આપ્તતાના સ્વીકાર સાથે એ શ્રદ્ધાને વિષય બની જાય છે. આપની આપ્તતા માટે ખાતરી કરવાને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy