SearchBrowseAboutContactDonate
Page Preview
Page 636
Loading...
Download File
Download File
Page Text
________________ શીલાગ ૧૩ જતાં તેનું દોઢિયું પણ ઉપજે નહિ અને એને પુત્રપુત્રી હોય જ નહિં અને પોતાના સંબંધીમાં ગુરુકુળવાસ અને એક ગુરુને માત્ર પરિવાર. એની ધીરજ કે સમતા જોઈ હોય તે આદર્શમય અને એના ઉપદેશ કે પ્રેરણા જોયા હાય તા તે સીધા, આકષ ક અને અસરકારક પણ તદ્ન જુદી જ ધાટીના. આવેા આકરા ચારિત્રમાર્ગ તે મડ઼ાન પવિત્ર પશુ ભારે દુષ્કર છે. ચાર મહિના સર્પના બિલ ઉપર તપ કરનારને કે ચાર માસ સુધી કૂવા ઉપર ધ્યાનસ્થ મુનિને દુષ્કરકાર કહેવામાં આવે અને સ્થૂલિભદ્રને દુષ્કર દુષ્કરકાર કહેવામાં આવે તેમાં ગુરુમહારાજના પક્ષપાત નથી, પણ અનુભવ છે અને જયારે કોઈ સાધુનું ચરિત્ર વિગતવાર સમજીએ છીએ કે વાંચીએ છીએ ત્યારે તેની દુષ્કરતા વિચાર કરવાથી મનમાં એસી જાય છે. આવા ચારિત્રને આખા જીવન સુધી પાળવું એ કાંઈ જેવી તેવી વાત નથી. પેાતાનાં કપડાં કોઈ પાસે ધાવરાવાય નહિ અને આખા વખત ન્હવાય નહિ અને ખાતાં વધી પડે તે બનતા સુધી ખાઈ જવું, નહિ તે નિરવદ્ય જગાએ શુદ્ધ જમીન ખાદી તેમાં સંભાળપૂર્વક મૂકવું, એ કાંઈ જેવી તેવી મુશ્કેલ ખાખત નથી. પણ જે નિરવધિ આનંદ તેઓને હુંમેશને માટે મળવાના છે અને જે અચ્યુત સ્થાન માટે તેઓ પ્રયત્ન કરી રહ્યા છે એના વિચાર કરતાં આ ત્યાગ ઘણા સામાન્ય લાગે છે. સાધુ ખરેખરા કેવા હોય તે સમજવા માટે તેઓના સહવાસમાં આવવું જરૂરી છે. એ સંગ વધારવા અને અનુભવ લેવા. જાણવું કે અંતે શીલાંગા સિવાય આપણા નિસ્તાર નથી. અને આપણે જે અનેકવિધ પ્રયત્ન કરીએ છીએ તે અન ંતકાળને માટે આનદ મેળવવા માટે જ છે અને જે મળવાનું છે તે નજરે તે પ્રયાસ ચૈગ્ય જ છે, કારણ કે આવું સુખ ખીજે કયાં મળે ? અને ખીજાં કયા પ્રયત્નથી મળે? તમે સાધુધર્મની આઠ પ્રવચનમાતા જ વિચારો, વસ્તુને લેવા મૂકવાની ઝીણવટથી ચર્ચા અન્યત્ર નહિ મળે અને સાધુને તે અનિવાર્ય છે, તે આઠ પ્રવચનમાતા જ સાધુધર્મની આકરાશ બતાવવા માટે પૂરતી છે. આવા શીલાંગા પણ માત્ર દ્રવ્યથી ધારણ કરનારા હોય છે. માથું મુંડાવવાથી કે કપડાં પહેરવાથી સાધુ કે મુનિ થવાતું નથી. ત્યાગ ભાવપૂર્વકના જોઇએ. સાધુ . અતિચાર સાંભળીને આપણે એલીએ છીએ, ‘ધન્ય મુનિરાજ.’ આવા અતિચાર તે તેમના પતનરૂપ છે, મિથ્યાદુષ્કૃત છે, એ પણ આટલું આશ્ચર્ય ઉત્પન્ન કરી સદર ઉર્દૂગાર સ્વતઃ ખેલાવે છે તેા સાધુધર્મ જે સાધુજીવનવ્યવહાર છે તે તે કેવી વિશિષ્ટતા માગે? એ જીવન વગર અંતે આર નથી. તમે સાધુઓને વિહાર કરતાં જુએ, તેને ઉપાનહુ પહેરાય નહિ, એક ગામથી ખીજે ગામ ચાલીને જવાનું, તેમાં કોઇ કોઇવાર મૂળ ઢમાં, પથરાં કે કાંકરાના સ્પર્શ થાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy