SearchBrowseAboutContactDonate
Page Preview
Page 635
Loading...
Download File
Download File
Page Text
________________ દાર પ્રશમરતિ વિવેચન સહિત લાગેલ છે. એની બહુ આવેશ્યક્તા મને લાગી નથી. ઉચિત વૈરાગ્ય એ અર્થ તે થઈ શકે, પણ તે ખાસ જરૂરી હોય એવું મને લાગતું નથી. (૨૪૬) આવી રીતે આ ત્રણ લેકવાળું નાનામાં નાનું પ્રકરણ અહીં પૂરું થાય છે. એ શીલાંગનું જ પ્રકરણ છે. એ શીલાંગ જેનું ગ્રંથકર્તાએ વિવરણ કર્યું છે અને આપણે જેનું કાંઈક વિવેચન ટીકાનુસાર કર્યું છે તે ખરેખર ચારિત્રનું અંગ જ છે. અને એ પર વધારે વિચાર કરવામાં આવશે તે જણાશે કે એ જ ખરેખર ચારિત્ર છે, કારણ કે એમાં યતિધર્મ આવે છે, મન વચન કાયાના ગે આવે છે અને કરવું, કરાવવું અને અનુમેદવું એ કરણે પણ આવે છે અને એ જે બરાબર પાળે તેને પછી ચારિત્રને અંગે બીજુ વિશેષ કરવાપણું રહેતું નથી. આપણે યતિધર્મના પ્રકરણમાં જોઈ ગયા છીએ (જુઓ પ્રકરણ ૭મું) કે દશ યતિધર્મોમાં આખા ચારિત્રને સમાવેશ થાય છે, તેમાં જ્યારે મન, વચન, કાયા અને ત્રણ કરણે ભળે ત્યારે ચારિત્રના આખા ક્ષેત્રને તે સ્પશે છે અને ફરી વળે છે. તેમાં પૃથ્વીકાય આદિક દશને આરંભ આવી જાય છે ત્યારે અહિંસાનું આખું ક્ષેત્ર તેમાં આવી જાય છે. એટલે શીલાગે ચારિત્રનું આખું ક્ષેત્ર છે. આ રીતે શીલાંગ શબ્દને ચારિત્રના પર્યાય તરીકે વાપરવામાં આવેલ છે અને તેમાં પાંચ ઇન્દ્રિય અને ચાર સંજ્ઞાને દાખલ કરી આખી જનતા અને વનસ્પતિ અથવા સર્વ જીવોને સમાવેશ કરી નાખે તે તે વ્યાપક વિભાગ છે. આવા અગત્યના શીલાંગને ગ્રંથકર્તાએ ત્રણ લેકમાં કેમ પતાવી દીધાં હશે તે સવાલ ઊઠે એ સ્વાભાવિક છે. પણ આ ગ્રંથકર્તા અનુભવી છે, એક અક્ષર કે એક કલેક એ છે બેલાય તે તેમાં આનંદ માનનારા છે, અને ત્રણ કલેકમાં શીલાંગને સમજાવવા માટે પૂરતું બેલી ચૂક્યા છે, એ ઊઠેલા સવાલને જવાબ છે. અને જૈનની દયા કેવી હોય તે વિચારવા માટે આ શિલાંગો અદ્ભુત સાધન છે. એની દયા અથવા અહિંસા સર્વ પ્રાણીઓ તરફ હોય, એમાં જીવને ભેગે કોઈ મેજશેખ કે વિલાસ ન હોય અને એમાં જીવદયા પાળવાથી થતા આનંદને સાક્ષાત્કાર હોય. આવા અગત્યના શીલાગે શું હોય તે આ ત્રણ ગાથામાં બતાવવામાં આવેલ છે. મૂળ દશ યતિધર્મો જ ચારિત્રની મહત્તા બતાવવા માટે પૂરતા છે. અને તમે સાધુધર્મને સામાન્ય ખ્યાલ કરે. કેઈ વાહનમાં બેસાય નહિ, એરપ્લેન, મોટર કે ગાડીને ઉપયોગ ન થાય, એક ગામથી બીજે ગામ સતત વિહાર કર્યા જ કરવાને, ઘરનાં કહી શકાય તેવાં ઘર નહિ, જે વસતિ મળે તેમાં જેમ બને તેમ થતું રહેવાય અને પિતાની કોઈ વસ્તુ નહિ, કેઈના પિતે માલિક કે ઉપરી નહિ, અસત્ય તે બેલાય જ નહિ અને સ્ત્રીની સાથે આંખ મિલાવી બેલાય કે વિચારાય જ નહિ. એમનાં પાત્રો જોયાં હોય તે વેચવાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy