SearchBrowseAboutContactDonate
Page Preview
Page 604
Loading...
Download File
Download File
Page Text
________________ સભ્યન્ દર્શન, શાન, ચારિત્ર, પ૮૧ અર્થ—ધર્મના આવશ્યક યોગમાં નિશ્ચિત આત્મા આળસને છોડી દઈને સમ્યકત્વ તેમ જ જ્ઞાન અને ચારિત્રને આરાધક (પૂજા–સેવા કરનાર) થાય છે. (૨૩૨) વિવરણ–શુદ્ધ વિશુદ્ધ ધર્મ બતાવે છે. તેમાં નિશ્રાવાળો થઈને વિકસિત આત્મા ઉપર જણાવેલાં સમ્યક્દર્શન, જ્ઞાન તેમજ ચારિત્રની સેવા કરનાર અને તેમાં તત્પર થાય છે. તે વાત આ ગાથામાં બતાવવામાં આવે છે. ધર્માવશ્યકગ–આગળના સાતમા પ્રકરણમાં બતાવેલ દશવિધ યતિધર્મ તેમ જ પડિકમણું, આલેચના, સ્વાધ્યાય, પડિલેહણ, પ્રમાર્જન એ ધર્મના આવશ્યક કેટલાક યોગો છે. એમાં જે પ્રવૃત્ત થયેલ હોય તે સાચો પ્રયાસ કરનાર. આ ગાથામાં બતાવ્યું તે તેમ જ બીજા આવશ્યક યોગે છે, તેમાં મથી રહેલ, તેને માટે પિતાનું જીવિતવ્ય પસાર કરનાર અને તે ગસાધનાને માટે સર્વ પ્રયાસ કરનાર જે પ્રાણી હોય તેને ધર્મના આવશ્યક વેગમાં ઉઘુક્ત પ્રાણું કહેવાય છે. ભાવિતાત્મા–એવા યુગની નિશ્રાએ પડેલે અને તે માટે સર્વ પ્રયત્ન કરનાર જીવ. ભાવિતને અર્થ કેશમાં સુગંધી દ્રવ્યથી ખુશબોદાર કરેલું અથવા ચિંતિત અને નિશ્ચિત આપેલ છે. જે પ્રાણીને ધર્મના આવશ્યક યુગમાં જ મજા આવે, જેની સુગંધી પણ ધર્મમય થઈ જાય અને જેને અસ્થિમજજાએ ધર્મ આવશ્યક લાગેલ હોય તે ભંગડમૂત અને દુનિયાની નજરે ગાંડો કે મૂખ અથવા અવ્યવહારુ. પ્રમાદ–આળસ કે ગફલતી. એમ તે શાસ્ત્રકાર મદ્ય, વિષય, કષાય, વિકથા, નિદ્રાને પણ સમુચ્ચયે પ્રમાદ કહે છે. અહીં સંબંધ પરથી આળસ અર્થ વધારે બેસતે લાગે છે. પરવજી–ભાવિત આત્મા આળસને છોડી દઈને. એને ધર્મના આવશ્યક કાર્ય કરતાં આળસ ન થાય. એને આળસમાં નકામો વખત કાઢવે ન ગમે. એ આળસને છોડી દઈને ધર્મના આવશ્યક ગેમાં ખૂબ ઉદ્યમી રહે. સંસારમાં તે લેકે એવા ઉદ્યોગી હોય છે કે એમને ખાવાની પણ ફુરસદ હોતી નથી, અને કેટલાક તે કહે છે કે તેમને મરવાની પણ ફુરસદ નથી. પણ આ આપણે ભંગડભૂત સાંસારિક કાર્યમાં નહિ, પણ ધર્મકાર્યમાં ખૂબ ઉદ્યમી રહે અને જરાપણ આળસ ન કરતાં તે સન્મુખ જ રહે. આરાધક–દન, જ્ઞાન, ચારિત્રને મેળવનાર, એની પૂજાસેવામાં અને એને સંવ્યવહાર કરવામાં સદા તૈયાર રહે. જેને મોક્ષે જવું છે તે કઈ પ્રકારનું આળસ ન કરતાં જ્ઞાન-દર્શનની અને ચારિત્રને મેળવવાની જ વાત કરે. એને સર્વ વ્યવસાય, એનું ધ્યાન આ સમદર્શન, જ્ઞાન, ચારિત્ર મેળવવા પૂરતું જ હોય અને તે વિષય આવે ત્યારે એ જાગતે રહે અને પિતાને વીર્યો. લ્લાસ તેમાં બતાવવામાં જરા પણ ગફલતી ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001043
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorMotichand Girdharlal Kapadia
PublisherMahavir Jain Vidyalay
Publication Year1986
Total Pages749
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ethics, & Principle
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy